કેરળમાં આવેલા સદીના સૌથી મોટા પૂરથી રાજ્યને બહાર નિકાળવા માટે તમામ બાજુથી મદદ માટે હાથ આગળ આવી રહ્યા છે. કેરળને દેશથી જ નહીં પરંતુ બહારથી પણ મદદ મળી રહી છે. મુખ્યમંત્રી પિનારયી વિજયને જણાવ્યું કે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવાનું કહ્યું છે. આ સહાયતા ભારત સરકાર દ્વારા કેરળને આપવામાં આવેલી સહાયતા કરતા પણ વધારે છે. કેન્દ્ર તરફથી અત્યાર સુધી રાજ્યને 600 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે.
આ પહેલા સંયુક્ત અરબ અમીરાતના પ્રધાનમંત્રી અને દુબઇના શાહ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે રાજ્યમાં વરસાદ અને પૂરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે આપાત સમિતિ બનાવવાનો આદેશ આપ્યો. એમને ટ્વિટ કરીને કહ્યું કે 'કેરળના લોકો હંમેશા અને હજુ પણ યૂએઇની સફળથાના ભાગીદાર રહ્યા છે. અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવા અને એમની મદદ કરવાની અમારી ખાસ જવાબદારી બને છે.'
આ ઉપરાંત સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના અરબપતિ ઉદ્યોગપતિઓએ ફણ પૂર પીડિતોની મદદ માટે 12.5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. રાહત શિવિરોમાં 10 લાખથી વધારે લોકોએ આશરો લીધો છે. રાજ્યમાં 3200થી વધારે રાહત શિબિર છે.