15 હજારથી વધારે પગારવાળા કર્મચારીઓ માટે કામની ખબર છે. કેન્દ્ર સરકારે તેમનુ પેન્શન વધારવાની વિચારણા કરી છે.
15 હજારથી વધારે પગારવાળા કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમની વિચારણા
હોળી પહેલા EPFO કરી શકે જાહેરાત
માર્ચમાં EPFOની મોટી બેઠક, લેવાઈ શકે મહત્વના નિર્ણય
EPF ખાતામાં વધુ યોગદાન આપનારા લોકો લાંબા સમયથી વધુ પેન્શનની માંગ કરી રહ્યા છે. હવે ઇપીએફઓ EPFO રૂપિયાથી વધુ બેઝિક સેલરી મેળવનારા લોકો માટે નવી સ્કીમ પર નિર્ણય લઇ શકે છે.
15,000 પગાર મેળવતા કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના
જે કર્મચારીઓને હોળી પહેલા માસિક 15,000 રૂપિયાથી વધુનો બેઝિક પગાર મળે છે તેમને નવી પેન્શન યોજનાની ભેટ મળી શકે છે. આ આવક જૂથના લોકો લાંબા સમયથી પેન્શન યોજના વધારવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓની આ વર્ષો જુની માગ સ્વીકારી શકે છે.
હવે સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રિટાયરમેન્ટ ફંડ સાથે જોડાયેલી સંસ્થા ઈપીએફઓ એવા કર્મચારીઓ માટે ન્યૂ પેન્શન સ્કીમ લાવવા પર વિચાર કરી રહી છે, જેમનો માસિક બેઝિક સેલરી 15,000 રૂપિયાથી વધુ હોય અને જરુરી નથી કે તેઓ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 (ઈપીએસ-95)માં સામેલ હોય.
આવતા મહિને થઈ શકે નિર્ણય
રિપોર્ટ અનુસાર 11 અને 12 માર્ચે આસામના ગુવહાટીમાં ઈપીએફઓની મોટી બેઠક મળવાની છે જેમાં મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. બેઠકમાં નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજ દર અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. 2021માં સીબીટીએ 2020-21 માટે ઈપીએફ ડિપોઝીટ પર 8.5 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો.
પીએફ એકાઉન્ટમાં વધારે પૈસા રાખવા મોંઘા પડશે
નોકરિયાતો માટે એક મહત્વની ખબર આવી રહી છે. હવે પીએફ અકાઉન્ટમાં વધારે પૈસા રાખવા મોંઘા પડશે. ઈનકમ ટેક્સ વિભાગ ખાતામાં જરૂરિયાત કરતા વધારે રકમ પર ટેક્સ વસૂલવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રાઈવેટ નોકરી કરતા પીએફ ખાતાામં 2.5 લાખ સુધીના ટેક્સ ફ્રી યોગદાનનું કૈપ લગાવ્યું હતું. ત્યાર બાદ સરકારી કર્મ્ચારી પર જનરલ પ્રોવિડેંટ ફંડમાં ટેક્સ ફ્રીની મર્યાદા લાગૂ કરી દેવામાં આવશે. આ મર્યાદા પાંચ લાખ રુપિયા વાર્ષિક છે. આ કાપ 1 એપ્રિલ 2022થી શરૂ થઈ જશે.
ટેક્સ ફ્રી વ્યાજ ઈન્કમનો લાભ
સરકારે બજેટ 2021માં ટેક્સ ફ્રી વ્યાજ ઈન્કમનો ફાયદો ઉઠાવતા ટેક્સ ફ્રી વાર્ષિક પીએફ યોગદાનને 2.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત કરી દીધું હતું. પણ બાદમાં મર્યાદા વધારીને તેને પાંચ લાખ કરી દેવામાં આવી છે. આ મર્યાદા એ કર્મચારીઓ માટે હતી, જેમને નિયોક્તા યોગદાન નથી કરતા. તેનાથી સરકારી કર્મચારીઓને લાભ મળ્યો.