સામાન્ય રીતે આપણે લોકો ઘંઉનો ઉપયોગ રોટલી, પૂરી, ભાખરી કે શિરો બનાવવા માટે કરતા હોઇએ છીએ પરંતુ શું તમે જાણો છો કે શરદી-ખાંસી કે પછી પથરીની સારવાર માટે ઘંઉ રામબાણ ઇલાજ છે.
જો તમે પણ સાંભળીને ચોંકી ગયા હોવ, તો અમે તમને જણાવીએ ઘંઉના એવા કેટલાક ફાયદાઓ જે ગંભીર બિમારીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઘંઉમાં રહેલુ આર્યન, મેગેનીઝ, મોલિબ્ડેનમ, સલ્ફર અને કોપર શરીરની ઘણી બિમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
- જો તમને ખાંસી કે કફની તકલીફથી છે તો 20 ગ્રામ ઘંઉના દાણા તેને 250 ગ્રામ પાણીમાં ઉકાળી લો. ઉકાળતી વખત તેમાં થોડું પાણી ઉમરેવુ. જ્યારે પાણીની માત્રા 1/3 થઇ જાય ત્યારે ગાળીને ગરમ-ગરમ પી લો. એક અઠવાડિયા સુધી આ ઉપાય સવાર સાંજ કરવાથી ખાંસીમાં રાહત મળે છે.
- જો તમારી પણ યાદશક્તિ ઓછી હોય અથવા તો તમારું બાળક ભણતુ હોય તો તેણે ઘંઉના લોટમાંથી બનાવેલા શીરામાં બદામ મિક્સ કરીને રોજ ખવડાવવો. આ યાદશક્તિ વધારવા માટેનું સૌથી બેસ્ટ ઉપાય છે.
- ઘણા લોકો પથરીની સમસ્યાથી પરેશાન હોય છે. જે લોકોને પથરીની સમસ્યાથી પીડાતા હોય તો ઘંઉ અને ચણાને દાણાને પાણીમાં ઉકાળી લો, હવે આ પાણીને ગાળીને પી લો, આમ કરવાથી કિડનીમાંથી પથરી આપોઆપ બહાર નીકળી જશે.
- જો તમને ફ્રેક્ચર થયુ છે અને જલ્દીથી રાહત મેળવવા માટે ઘંઉનો શીરો બનાવી લો. આ સિવાય તમે ઘંઉના દાણાને પેન શેકી લો, શેકાય જાય એટલે તેણે મિક્સર જારમાં લઇને પીસી લો, હવે તેમાં મઘ મિક્સ કરીને ખાવ, આમ કરવાથી ફ્રેક્ચના કારણે થતા દુખાવામાં રાહત મળે છે.
- ઘણી વખત કીડી કે મચ્છર કરડી જાય તો તે જગ્યા પર ખણ આવે છે. આવી સ્થિતિમાં ઘંઉના દાણાને પલાળીને ક્રશ કરી લો,અને જ્યાં ખણ આવતી હોય ત્યાં લગાવી દો તરત જ રાહત મળી જશે. જો કોઇ ઝેરી જીવજંતુ કરડી જાય તો ઘંઉના લોટમાં વિનેગર મિક્સ કરીને તે જગ્યા લગાવવાથી આરામ મળશે.
જોકે આ તમામ ઉપાયો કરો ત્યારે ધ્યાન રાખો કે ઘંઉ બહુ જૂના ના હોય. આ ઉપાયો કરતી વખતે ઘંઉને બરાબર પલાળીને અને સારી રીતે ધોઇને તેનો ઉપયોગ કરો.