બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સામાન્ય રીતે સરકારી બેંકોમાં કામકાજ 10 વાગ્યા બાદ જ શરૂ થાય છે. એવામાં નાણા મંત્રાલયના બેંકિંગ ડિવીઝને નિર્ણય કર્યો છે કે તમામ સરકારી અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક સવારે 9 વાગ્યે ખુલી જાય.
ગ્રાહકોની જરૂરીયાતના હિસાબથી બેંક સવારે 9 વાગ્યાથી ખુલી શકશે. જો કે જ્યાં ગ્રાહક મોડે સુધી બેંકિંગ સેવા ઇચ્છે છે ત્યાં પહેલાની જેમ સવારે 10 અથવા 11 વાગ્યાથી બેંક ખોલવાનો વિકલ્પ રહેશે. નિર્ણય તમામ સરકારી બેંકો તથા ક્ષેત્રીય ગ્રામીણ બેંકો પર પણ લાગૂ થશે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે બેંકિંગ ડિવીઝનએ દેશભરમાં બેંકોને ખોલવાના સમયમાં એકરૂપતા લાવવા માટે 10 જૂને વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા એક બેઠક કરી હતી. બેઠકમાં નક્કી થયું હતું કે બેંક શાખાઓ પ્રબંધન નહીં પરંતુ ગ્રાહકોની સુવિધાના હિસાબથી ખુલવી જોઇએ. એમાં બેંક શાખાઓને ખોલવાના સમયમાં ફેરફારની મંજૂરી મળી છે.
આઇબીએ (IBA) એ 24 જૂને ગ્રાહક સુવિધા પર ગઠિત ઉપસમિતિની બેઠકમાં બેંક શાખા ખોલવા માટે ત્રણ વિકલ્પ આપ્યા, પહેલો સવારે 9 થી બપોરે 3, બીજો સવારે 10 થી સાંજે 4 અને ત્રીજો સવાર 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. આઇપબીએ એ બેંકોને કહ્યું કે 31 ઓગસ્ટ સુધી જિલ્લા સ્તરીય ગ્રાહક સમન્વય સમિતિની બેઠક કરીને સમય નક્કી કરી લે અને એની સૂચના સ્થાનિક પેપરમાં પણ આપી દે.
એક સરકારી અધિકારીનું કહેવું છે કે બેંક ખોલવાનો નવો સમય સપ્ટેમ્બરમાં અમલમાં આવી જવો જોઇએ. કારણ કે એના માટે તમામ કાર્ય થઇ ગયા છે. હવે માત્ર જિલ્લા સ્તરીય સમન્વય સમિતિ નક્કી કરશે કે ત્રણ સમયના સેટમાંથી કોને પસંદ કરશે.