ફેમિલિ પેન્શન નિયમ જણાવે છે કે જો કર્મચારી નોકરીના સમયે મૃત્યુ પામે છે તો નિયમ અનુસાર મુખ્ય રીતે ફેમિલિ પેન્શન કેન્દ્ર સરકારના કર્મચારીની વિધવા કે વિધુરને આપી શકાય છે. પરંતુ હવે પેન્શનના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તો તમે પણ એક ક્લિકે જાણી લો કે નવા નિયમો અનુસાર તમે કેટલા પેન્શના હકદાર છો.
બદલાયો પેન્શનનો આ નિયમ
નોકરી સમયે કેન્દ્રીય કર્મચારીનું મૃત્યુ થશે તો આ છે નિયમ
સાત વર્ષ પહેલાં મૃત્યુ થશે તો આ રીતે મળશે રૂપિયા
ભારત સરકારના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને વિવિધ પ્રકારનું પેન્શન આપે છે. પરિવાર પેન્શન યોજના 1971ના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીના પરિવારના સભ્યોને પેન્શન આપે છે જેનું કામના સ્થળે મોત થાય છે. આ પહેલાં 7મા વેતન આયોગના નિયમ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પરિવારના સભ્યોને સામાન્ય પરિવારીક પેન્શન આપવામાં આવતું હતું જેનું કામના સમયે મૃત્યુ થતું હતું. હવે ફેમિલિ પેન્શન સ્કીમ 1971માં 54માં સંશોઘનના માધ્યમથી કેન્દ્રને સરકારના કર્મચારીઓને એ લાભ માટે નિયમો બદલવાનો નિર્ણય કર્યો છે. જેમનું સેવાના સાત વર્ષ પહેલાં મૃત્યુ થાય છે તેમને પણ સરકાર લાભ આપશે.
નવા નિયમમાં આ છે મુખ્ય વાત
બદલાયેલા પેન્શનના નિયમ અનુસાર 7 વર્ષની સેવા પહેલાં જો કર્મચારીનું નિધન થાય છે તો સરકારી કર્મચારીના પરિવાર સાતમા વેતન આયોગના નિયમ અનુસાર હવે 10 વર્ષ સુધી છેલ્લા પગારના 50 ટકા સુધીના પેન્શનના હકદાર રહેશે. આ પહેલાં તેમના મોતના કેસમાં ઓછામાં ઓછું 7 વર્ષની નોકરીની જોગવાઈ હતી. અને તેમના પરિવાર જ છેલ્લા પગારના 50 ટકા પેન્શન મેળવી શકતા હતા. જે કર્મચારીઓની 7 વર્ષની સેવા પૂરી નથી થઈ તેઓ છેલ્લા પગારના ફક્ત 30 ટકા વેતન પેન્શન રૂપે મેળવતા હતા.
આ છે ફેમિલિ પેન્શનનો નિયમ
ફેમિલિ પેન્શનનો નિયમ જણાવે છે કે મુખ્ય રીતે ફેમિલિ પેન્શન કેન્દ્ર સરકારના કર્મચારીની વિધવા કે વિધુરને આપવામાં આવે છે જે સેવા સમયે મૃત્યુ પામે છે. કેન્દ્ર સરકારના કર્મચારીના મૃત્યુના સમયે 25 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો પારિવારીક પેન્શનને પાત્ર છે. તો આ પેન્શન એવા બાળકોને ત્યારે આપવામાં આવે છે જ્યારે તેમના લગ્ન ન થાય. અથવા તેમની માસિક આવક 9000 રૂપિયાથી વધારે ન હોય, અવિવાહિત દીકરી, વિધવા દીકરી કે મૃતક કેન્દ્ર સરકારના કર્મચારીની લગ્નોત્સુક દીકરી પણ પેન્શન માટે યોગ્ય વારસદાર ગણાશે.