આજે જાણી લો. એક નહીં, બે નહીં પણ શેરડીના રસના 8 પ્રકારના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ
ઉનાળો શરૂ થતાં જ બજારમાં તમને જ્યાંને ત્યાં શેરડીનો રસના સ્ટોલ જોવા મળતા હશે. અને ક્યારેક ભર ઉનાળે, ખરા તડકામાં બહાર જવાનું થયું હોય, અને પુષ્કળ તરસ લાગે ત્યારે આ સ્ટોલ જોઈને આપણે શેરડીનો રસ પીવા પણ બેસી જઈએ છીએ. પણ શું તમને આ ફળના અઢળક સ્વાસ્થ્ય ગુણોની ખબર છે? જો ના તો આજે જાણી લો.
કમળામાં ઉપયોગી
જો કોઈ વ્યક્તિને કમળો થાય તો ડોક્ટર તેને ચોક્કસથી શેરડીનો રસ પીવાનું કહેતા હોય છે. કમળાની તે કુદરતી દવા છે. કમળામાં માણસની ચામડી પીળી પડી જાય છે. અને તેના લોહીમાં બિલ્લીરૂબીનની માત્રા વધી જાય છે. લીવર ઓછું કામ કરે છે. આ બધી જ સમસ્યામાંથી બહાર આવવા માટે બે ગ્લાસ શેરડીના રસમાં લીંબુ અને મીઠું નાખીને પી જવાનું.
ઈન્ફેક્શન
અનેક પ્રકારના ઈન્ફેક્શન જેવા કે ડાયેરિયા, યુરિનનુ ઈન્ફેક્શન, સેક્સ્યુલી ટ્રાન્સમીટેડ ડિસીઝ અથવા દો પાચનને લગતા ઈન્ફેક્શનમાં શેરડીનો રસ ખુબ જ ઉપયોગી બને છે.
કિડની સ્ટોન
શેરડીના રસનો આ ખુબ જ મહત્વનું હેલ્થ બેનિફિટ છે કે, તે કિડનીમાં રહેલી પથરીને બહાર કાઢવામાં ઉપયોગી બને છે. ખુબ જ પ્રમાણમાં પાણીની સાથે તમે ઉનાળામાં શેરડીનો રસ પણ લઈ શકો છો. શેરડીનો રસ પથરીને તોડીને કિડનીમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ
શેરડીનો રસ ડાયાબિટીસ માટે પણ ખુબ જ ઉપયોગી છે. શેરડીના રસમાં સુગર હોતી નથી. આથી જો તમે વજન ઉતરી રહ્યા હોય તો પણ તમે નેચરલ સુગર માટે શેરડીનો રસ ઉપયોગમાં લઈ શકો છો. શેરડીનો રસ લોહીમાં રહેલા ગ્લુકોઝની માત્રાને જાણવી રાખે છે.
ન્યૂટ્રિશનલ બેનિફિટ
શેરડીના રસમાંથી તમને વિપુલ માત્રામાં વિટામીન અને મીનરલ્સ મળી રહે છે. જે તમારા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. શેરડીના રસમાંથી તમને ફોસ્ફરસ, આર્યન, પોટેશિયમ, કેલશિયમ અને મેગનેશિયમ મળી રહે છે. અભ્યાસો પરથી પણ એ વાત સાબિત થઈ છે કે, શેરડીનો રસ તાવ કે તેના જેવી બીજી બિમારીમાં જે વિટામીન લોસ થયા હોય તેને ઝડપથી રિકવર કરે છે.
શરદી, તાવ અને ગળાના દુ:ખાવામાં ઉપયોગી
જો તમે એવું માનતા હોવ કે શરદી અને ગળાના દુ:ખાવામાં શેરડીનો રસ નુકસાન કરે છે. તો આ તમારો ભ્રમ છે. ખરેખર તો આ બધી જ બિમારીમાં શેરડીનો રસ પીવાથી તમને રાહત મળશે.
કેન્સર સામે બચાવ
શેરડીના ક્ષારવાળા સ્વભાવના કારણે તે તમને કેન્સર જેવી બિમારીથી બચાવી શકે છે. ખાસ કરીને પ્રોસ્ટ્રેટ, લંગ, બ્રેસ્ટ કેન્સર અને મોટા આંતરડાના કેન્સરથી બચાવવામાં તમને શેરડી મદદ કરી શકે છે.
રિહાઈડ્રેશન
ઘણા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. અને તેના લીધે ખાસ કરીને ઉનાળામાં તેઓ ડિહાઈડ્રેશન જેવી બિમારીનો ભોગ બનતા હોય છે. શરીરમાં પાણીની માત્રા જાણવી રાખવા માટે તમે શેરડીનો રસ પી શકો છો. આ સિવાય ઉનાળામાં તમારા શરીરને ઠંડુ રાખવા માટે પણ તમે શેરડીના રસનો નિયમિત ઉપયોગ કરી શકો છો.