મંદિરોના મામલામાં ભારત ખૂબ જ ધનિક છે અહીં 33 કરોડ દેવી-દેવતાઓને પૂજવામાં આવે છે. આથી સમગ્ર ભારત જેટલા સ્કૂલ કોલેજ અને હોસ્પિટલ નથી તેનાથી વધારે મંદિર છે. દેશના ઘણા મંદિરો પોતાની વાસ્તુકલા પ્રસાદ અને નિયમો માટે જાણીતા છે જેમાંથી એક મંદિર એવું છે જે વર્ષના માત્ર એક જ વખત 12 કલાક માટે ખુલે છે. આ અમુક કલાકોમાં ભક્ત ભગવાનના દર્શન કરી શકે છે.
આ અનોખું મંદિર છત્તીસગઢ નક્સલ પ્રભાવિત વિસ્તાર કોંડાગામના એક પહાડ પર સ્થિત છે. શિવ અને શક્તિના સમન્વય સ્વરૂપને સમગ્ર રાજ્યમાં માતા લિંગેશ્વરી નામથી પૂજવામાં આવે છે. અહીં દરવર્ષે દેવીના દર્શન માટે હજરોની સંખ્યામાં ભક્તો પહોંચે છે.
રિપોર્ટ્સ મુજબ આ મંદિરમાં એક શિવલિંગ છે માનવામાં આવે છે અહીં માતા લિંગ સ્વરૂપે બિરાજમાન છે. મંદિરની ખાસિયત તેનું વર્ષમાં એકવખત ખુલવું છે. અહીં મંદિરમાં દરવર્ષે ગણેશ ચતુર્થી ઉત્સવ ખત્મ થયા પછી 12 કલાક માટે મંદિર શ્રદ્ઘાળુઓ માટે ખોલવામાં આવે છે.
કહેવાય છે કે મંદિરમાં વિરાજમાન દેવતાને કાકડી ચઢાવવામાં આવે તો માગેલી માનતા પૂર્ણ થાય છે. જેના પરિણામે મંદિરની બહાર ભારી માત્રામાં શ્રદ્ધાળુઓ કાકાડી સાથે ઉભેલા હોય છે. અને આજ કારણ છે કે તે વિસ્તારમાં કાકડીની સુગંધ ખુબ આવ્યા કરે છે. એમ પણ માનવામાં આવે છે કે જો નવદંપતિને બાળકને આશા હોય તો તે પણ અહીં ખીરા ચઢાવતા તેમની અધૂરી મન્નતો પૂર્ણ થાય છે. જણાવી દઇએ કે કોંડાગામના પહાડ પર સ્થિત આ મંદિરમાં દાખલ થવા માટે ભક્તોને પેટ ભાગે સરકીને ચાલવું પડે છે. ઓરિસ્સા મહારાષ્ટ્ર પ્રશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશથી ભક્તો માતાજીના દર્શન માટે પહોંચે છે.