મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારશાહ રેલવે સ્ટેશન રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફૂટ ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો તૂટી પડતાં 20 લોકો ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોટો અકસ્માત
બલ્લરશાહ સ્ટેશન પરનો ફૂટ ઓવરબ્રિજનો હિસ્સો તૂટ્યો
60 ફૂટે ઊંચેથી મુસાફરો નીચે પડ્યાં
20 લોકો ઘાયલ, 8ની હાલત ગંભીર
ઘટના સમયે 80 લોકો હતા પુલ પર
મોરબીના ઝૂલતા પૂલની હોનારતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચંદ્રપુરના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી છતા તેની પર ચાલી રહેલા ઘણા મુસાફરો નીચે પડી ગયા હતા. આ ઘટના બની ત્યારે ફૂટ ઓવર બ્રિજ પર 80 જેટલા લોકો હતા.
60 ફૂટ ઉંચેથી લોકો પાટા પર પડ્યાં
પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી એટલે કે લોકો 60 ફૂટની ઉંચાઈથી ટ્રેક પર પડી ગયા છે. આ ઘટના બાદ રેલવે સ્ટેશને હો હા મચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
પ્લેટફોર્મ પર મુસાફરીની દોડાદોડી વચ્ચે પુલનો હિસ્સો થયો ધરાશાયી
પૂલ પરથી નીચે પડતાં 20 મુસાફરો ઘાયલ થયા હતા જેમાંથી 8ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે કાજીપેટ પુણે એક્સપ્રેસમાં બેસવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો.
આંધ્રપ્રદેશમાં ટ્રેનમાં લાગી આગ
ચંદ્રપુર રેલવે ઓવર બ્રિજ દુર્ઘટના પહેલા રવિવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના કુપ્પમમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. એક ટ્રેનમાં અચાનક આગ લાગવાના કારણે ભાગદોડ મચી ગઈ હતી. બેંગલુરુથી કુપ્પમ થઈને હાવડા એક્સપ્રેસના એસ 9 એસી કોચમાં આગ લાગી હતી.