બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / foods you must add to your daily diet to purify blood

હેલ્થ / લોહી શુદ્ધ કરવા ડાયેટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, મળશે આશ્ચર્યજનક પરિણામ

vtvAdmin

Last Updated: 08:36 PM, 22 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા શરીરમાં ઓર્ગન્સ ચલાવવા માટે લોહીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. હોર્મોન્સ, સેલ્સ, શુગર અને ફેટને શરીરના તમામ ભાગમાં લોહી જ પહોંચાડે છે. શરીરને સ્વસ્થ રાખવા અને બોડીના પાર્ટ્સને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી છે કે લોહીને શુદ્ધ અને ટોક્સિન ફ્રી રાખવામાં આવે, જે લીવર અને કિડનીનું કામ હોય છે.

ત્યારે લોહીમાં જો અશુદ્ધીઓ આવી જાય તો તેને દૂર કરવી સૌથી જરૂરી છે. એ માટે ખાનપાનમાં નેચરલ પ્યૂરીફાયર સામેલ કરવામાં આવે. અહીં એવી વસ્તુ વિશે જાણીશું જે લોહી શુદ્ધ રાખે છે. 

લેમન જ્યૂસ

લેમન જ્યૂસ લોહીને શુદ્ધ કરવાની પ્રાકૃતિક રીત છે. તેમા વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. અને તે શરીરના PH લેવલને મેન્ટેન રાખે છે. લીંબૂનો રલ પાચન ક્રિયાને યોગ્ય ઢંગથી ચલાવવા અને બ્લડમાં રહેલા ટોક્સિનને નીકાળવા માટે હેલ્પ કરે છે. રોજ સવારે ખાલી પેટ લેમન જ્યૂસ શરીરની ગંદકી દૂર કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબૂ નિચોવીને બ્રેકફાસ્ટ પહેલા પીવો ફાયદાકારક છે.

એપ્પલ સાઇડર વિનેગર અને બેકિંગ સોડા

આ મિક્સચર શરીરમાં યૂરીક એસિડને બહાર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. Ph  લેવલને મેન્ટેન કરવા અને બોડી ટીશ્યૂને ક્લિયર કરવામાં અકસીર છે. બે ચમસી એપ્પલ સાઇડર વિનેગર અને અડધી ચમચી બેકિંગ સોડાને એક ખાલી ગ્લાસમાં મિલાવો અને કેટલાક સમય માટે છોડી દો. જ્યારે બબલ ઓછા થઇ જાય તરત તેને પી જવો. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ડોક્ટરને પૂછીને જ તેનું સેવન કરવું જોઇએ. 

તુલસીના પાન

તુલસીના પાન જો આપ આપના  ભોજનમાં સામેલ કરશો તો તેનો ખુબ જ ફાયદો મળશે. તેમા હાજર એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી ફ્લેમેટ્રી તત્વ કિડની અને લીવરને શુદ્ધ રાખે છે. તે પાચન શક્તિ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રાખવામાં મદદગાર છે. 

હળદર

તેના એન્ટી બેક્ટિરીયલ ગુણને કારણે તે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારવાનું કામ કરે છે.  આયુર્વેદિક રૂપમાં તેનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. ગરમ દૂધમાં અડધી ચમચી હડદરને મિલાવી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે. 

પાણી 

લોહીને શુદ્ધ કરવા માટે પાણી સૌથી જરૂરી ગણવામાં આવે છે. રોજ દિવસભરમાં બેથી ત્રણ લીટર પાણી શરીરની અશુદ્ધિઓને સરળતાથી દૂર કરી શકે છે. તે શરીરના ઓર્ગનને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તથા વિટામીન અને મિનરલ્સનો ફ્લો બનાવી રાખે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Food Health Care Health News blood purification lifestyle lifestyle news લાઇફસ્ટાઇલ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ