સ્વાસ્થ્યને સારું રાખવા ખાવા-પીવામાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ બાબતોમાં ચૂક થાય તો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. જેમાં કયા સમયે કઈ વસ્તુ ખાવી અને કઈ નહીં એ વાતનું બધાંએ રાખવું જોઈએ.
સ્વસ્થ રહેવું હોય તો કેટલીક ભૂલો ક્યારેય ન કરવી
ખાલી પેટ આ વસ્તુઓનું સેવન ટાળવું
ખાલી પેટ આવા ખોરાક ખાવાથી રોગો વધે છે
ખાલી પેટે કેટલીક વસ્તુઓ ન ખાવી
કેટલીક ખાદ્ય વસ્તુઓમાં એસિડની માત્રા બહુ વધારે હોય છે. એવામાં પેટ ખાલી હોય ત્યારે આવી વસ્તુઓનું સેવન ખૂબ જ નુકસાન કરી શકે છે. દહીં, કેળા, કાચાં ટામેટા ખાલી પેટ ન ખાવા જોઈએ. પણ નવશેકા પાણીનું સેવન ખાલી પેટે કરી શકાય છે. આ સિવાય ચા કે કોફી પણ ખાલી પેટે ન પીવી જોઈએ. તો ચાલો આજે જાણી લો કે ખાલી પેટે કઈ વસ્તુઓનું સેવન ન કરવું.
પેટ ખાલી હોય ત્યારે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ
સોડા
સોડામાં ઉચ્ચ માત્રામાં કોર્બોનેટ એસિડ હોય છે. જો તમે ખાલી પેટ સોડા પીશો તો તમને ઉબકાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય પેટ સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા પણ રહે છે.
ટામેટાં
ટામેટાંમાં એસિડ હોય છે, જેના કારણે ખાલી પેટ તેનું સેવન કરવાથી તેની આડઅસર થાય છે. આનાથી પેટમાં ભળી ન શકે એવા જેલનું નિર્માણ થાય છે. જેના કારણે પથરી થવાની શક્યતા વધી જાય છે.
કેળા
ખાલી પેટ કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે. તેમજ શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન થવા લાગે છે, જેથી સવારે ખાલી પેટ કેળાનું સેવન ન કરવું.
દવાઓ
તમે ડોક્ટરને સલાહ આપતા સાંભળ્યા જ હશે કે ખાલી પેટ દવાઓનું સેવન ન કરવું. કારણ કે ખાલી પેટ દવા ખાવાથી પેટમાં એસિડની માત્રા વધે છે. જેના કારણે શરીરમાં અસંતુલન થવા લાગે છે.
આલ્કોહોલ
ખાલી પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરા થવા લાગે છે. જેના કારણે ભોજન પચવામાં પરેશાની થાય છે.
ખાટ્ટાં ફળો
સંતરા, મોસંબી, જામફળ જેવા ખાટા ફળો ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ. તેને ખાવાથી આંતરડામાં એસિડનું પ્રોડક્શન વધી જાય છે. જેના કારણે ગેસ્ટ્રિક અલ્સરની સમસ્યા વધી જાય છે.
સલાડ
કાચા શાકભાજીઓનું સલાડ સવારે બ્રેકફાસ્ટમાં ખાવાથી બચવું જોઈએ. તમે તેને લંચમાં ખાઈ શકો છો. કાચા શાકભાજીમાં ફાઈબર વધારે હોય છે. જો તેને ખાલી પેટે ખાવામાં આવે તો પાચનતંત્ર પર લોડ પડે છે. જેથી પેટમાં દુઃખાવો થઈ શકે છે.
મરચા અને મસાલા
ખાલી પેટ મસાલાવાળી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. તેનાથી પેટની ગરમી વધે છે અને એસિડ પણ વધી જાય છે. આ વસ્તુઓ અપચો અને કબજિયાતની સમસ્યા પેદા કરી શકે છે. એટલું જ નહીં તેના ખાલી પેટ ખાવાથી એસિડિટી વધી જશે.
કૉફી
ઘણાં લોકોને સવારે ઉઠતા જ કૉફી પીવાની આદત હોય છે. આ આદત ખરાબ છે. ખાલી પેટ કૉફી પીવાથી એસિડિટી થાય છે. જો કૉફીને ખાલી પેટ પીવામાં આવે તો એસિડનું સીક્રિશન થાય છે. જે ગેસ્ટ્રિકની બીમારીનો ખતરો પેદા કરે છે.