મલેરિયા તાવ એ મચ્છર દ્વારા કરડવાથી થાય છે. જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. આ માદા મચ્છરમાં એક ખાસ પ્રકારનો બેક્ટેરિયા જોવા મળે છે, જેને તબીબી ભાષામાં પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા લીવર અને લોહીના કોષને ચેપ લગાડે છે અને વ્યક્તિને બીમાર બનાવે છે. જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો આ રોગ પણ જીવલેણ બની શકે છે.
મેલેરિયાના તાવમાં પરસેવો થવો, શરીરમાં દુખાવો અને ઉલટી થવી એ મુખ્ય લક્ષણો છે. આ રોગથી બચવા માટે ઘરની આજુબાજુ ગંદકી અને પાણી એકઠું ન થવા દો. મચ્છર પેદા થાય એવું કંઈ કરવું નહીં. સાથે જ દર્દીની ડાયટનું ધ્યાન રાખો.
મલેરિયામાં ન ખાતા આ વસ્તુઓ
ઠંડુ પાણી પીવું નહીં અને ઠંડા પાણીથી નહાવું નહીં
દર્દીને કેરી, દાડમ, લીચી, પાઈનેપલ, નારંગી અને ખાટાં ફળોનું સેવન કરવું નહીં
દહીં, શિકંજી, ગાજર, મૂળા જેવી ઠંડી વસ્તુઓનું સેવન કરવું નહીં
મરચાં મસાલા કે ખાટાં રસનું સેવન કરવું નહીં
બહારનો તળેલો અને મસાલેદાર ખોરાક ખાવો નહીં
શું ખાવું
મલેરિયાના દર્દીઓએ સફરજન ખાવું. પીપળી ચૂર્ણ મધમાં મિક્સ કરીને ખાવું. ખિચડી, દળિયા, સાબુદાણા પૌષ્ટિક હોવાની સાથે પચવામાં હળવા હોય છે. ગભરામણ થવા પર લીંબુ પર સિંધવ મીઠું અને મરી પાઉડર છાંટીને ચૂસી લો. મલેરિયામાં જામફળ લાભદાયી છે. સાથે જ પાણીમાં તુલસીના અને મરી ઉકાળીને ગાળીને પીવો.