આપણે બધા ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે ફ્રિજમાં રાખીએ છીએ પરંતુ તમે એ વાતથી અજાણ હશો કે અમુક વસ્તુઓ ફ્રિજમાં ના રાખવી જોઈએ. આ વસ્તુઓને ફ્રિજમાં રાખવાથી તમારા આરોગ્યને અસર કરે છે. ચાલો તે વસ્તુઓ વિશે જાણીએ જે ફ્રિજમાં રાખવાથી બચવું જોઈએ.
બ્રેડ
તમે આ વાત વાંચીને હેરાન થઇ જશો પરંતુ ફ્રિઝમાં બ્રેડને ક્યારેય ના રાખવી જોઇએ. કેમકે બ્રેડને ફ્રિજમાં રાખેલ બ્રેડ ખાવાથી શરીર પર ખરાબ અસર પડે છે.
કોફી
કોફીને ભૂલથી પણ ફ્રિજમાં ના રાખવી જોઇએ.ફ્રિજમાં રાખવાથી તે અન્ય વસ્તુઓની સુગંધની સોસી લે છે અને ઝડપથી ખરાબ થઇ જાય છે.
ટમેટા
ટમેટાને ફ્રિજમાં રાખવાથી રેસાઓ ઝડપથી તૂટી જાય છે જેના કારણે ટમેટા ઝપડથી પોચા થઇ જાય છે. એટલા માટે ટમેટાને ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઇએ.
કેળાં
કેળાંને ફ્રિજમાં રાખવાથી તે કાળા ઝડપથી થવા લાગે છે. તેમાંથી નિકળતી ઇથાઇલ નામની ગેસથી આજબાજુના ફળોને ખરાબ થાય છે.
મધ
મધને ભૂલથી પણ ફ્રિજમાં ના રાખવું જોઇએ. મધ પહેલાથી જ પ્રિઝર્વ હોય છે એટલે તેને ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઇએ.
બટેકા
બટેકાને ફ્રિજમાં રાખવાથી સ્ટાર્ચ શુગરમાં બદલાવ આવે છે.જે સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા હોય છે.ફ્રિજમાં રાખવાથી બટેકાના સ્વાદમાં પણ ફેરફાર થતો હોવાથી બટેકાને ફ્રિજમાં મુકવાનું ટાળવું જોઇએ.
તરબૂચ
તરબૂચને ફ્રિજમાં રાખવાથી તેના પૌષ્ટીક ગુણો ગૂમ થઇ જાય છે. માટે તરબૂચને ફ્રિજમાં રાખવા જોઇએ નહીં.