જે લોકો વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરે છે. તે લોકોને કેલેરી ડેફિસિટમાં રહેવાનું હોય છે અને મેન્ટેન્સ કેલેરી કરતા ઓછુ ખાવાનું હોય છે. અમુક ફૂડ્સ એવા પણ છે જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે.
ભૂખને 60 ટકા ઓછી કરી નાખશે આ વસ્તુઓ
ઝડપથી ઓગળવા લાગશે પેટની ચરબી
જાણો આ 5 સુપર ફૂડ્સ વિશે
આજના સમયમાં મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમનું વધેલું પેટ ઓછુ થઈ જાય. તેના માટે તે ડાયેટ ફોલો કરે છે અને કલાકો સુધી ટ્રેડમિલ પર દોડે પણ છે. હકીકતે પેટની એક્સ્ટ્રા ચરબી ગંભીર બીમારીઓ જેવી કે હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ વગેરે જેવા જોખમ ઉભા કરે છે. તેની સાથે જ તે ફિટિંગના કપડાં ન મળવા, કોન્ફિડન્સ લેવલ ઓછો કરવો જેવી ઘણી સમસ્યાઓ ઉભી કરે છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે જો કોઈ યોગ્ય ડાયેલ કરે છે અને લાઈફસ્ટાઈલ હેલધી રાખે છે તો તે પેટની ચરબીને ઓછી કરી શકે છે. એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કેવા પ્રકારના ફૂડ ખાવાથી ભૂખ 60 ટકા સુધી ઓછી થઈ શકે છે અને પેટની ચરબીને ઓછુ કરવામાં મદદ મળે છે.
ભૂખ ઓછી કરવા માટે આવા ફૂડ્સ ખાઓ
એક્સપર્ટ્સનું માનવું છે કે શરીરના ફેટ અથવા અક્સ્ટ્રા ચરબીને બર્ન કરવા માટેની સૌથી વધુ સારી રીત છે ખૂબ જ પાણી પીવું. સ્પ્રિંગર ઓપનમાં પબ્લિશ થયેલા એક રિસર્ચ અનુસાર, દરરોજ એક્સરસાઈઝ કરો અને થર્મોજેનિક ફૂડ્સ ખાવાથી બચો જે ચરબીને ઓગાળવામાં મદદ કરે છે.
હકીકતે થર્મોજેનિક ખાદ્ય પદાર્થ, થર્મોજેનેસિસ પ્રક્રિયાને વધારીને મેટાબોલિઝમ અને કેલેરી બર્ન કરવાની પ્રોસેસને વધારવામાં મદદ કરે છે. થર્મોજેનેસિસ એ પ્રક્રિયા છે. જેમાં શરીર ખાધેલા ભોજનનો ઉપયોગ કરવા માટે કેલેરી બર્ન કરે છે અને તે કેલેરીને ગરમીમાં બદલી નાખે છે.
શરીર પોતાના રોજીંદા જીવનના કામો માટે ફિઝિકલ એક્ટિવિટીથી કેલેરી બર્ન કરી દે છે પરંતુ થર્મોજેનિસિસના કારણે પણ ઘણી કેલેરી બર્ન થઈ જાય છે. માટે કહેવામાં આવે છે કે થર્મોજેનેસિસ ફૂડ્સનું સેવન કરવું જોઈએ.
આ ફૂડ્સ હોય છે થર્મોજેનિક
ખાવાની વસ્તુઓ જે થર્મોજેનિક પ્રક્રિયાને વધારે છે અને કેલેરી બર્ન કરે છે થર્મોજેનિક ફૂડ કહેવાય છે. તેનાથી પેટની એક્સ્ટ્રા ચરબીને ઓછી કરી શકાય છે. આ ફૂડ્સનું સેવન કોઇ પણ પ્રકારે કરી શકાય છે.