કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને ભલભલા ફફડી ઉઠે છે. પ્રાથમિક સ્ટેજમાં યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરને મ્હાત આપી શકાય છે. પરંતુ જો કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો વ્યક્તિના બચવાના બહુ ઓછાં ચાન્સિસ હોય છે. આમ તો કેન્સર થવાના ઘણાં કારણો છે જેમાંથી એક આપણી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ છે. આજના સમયમાં લોકોની ખાવાપીવાની આદતો એવી થઈ ગઈ છે કે, તેના કારણે જ લોકો રોગિષ્ઠ બને છે. આપણે અમુક એવા પણ ખોરાક ખાઈ લઈએ છે, જેના કારણે કેન્સર થવાનો ખતરો વધી જાય છે. તો ચાલો જાણીએ.
આપણી ભૂલો જ કેન્સર જેવા ઘાતક રોગો નોતરે છે
કેન્સરથી બચવા ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું
આવો ખોરાક તમને કેન્સરના રોગી બનાવી શકે છે
પ્રિઝર્વ કરેલો ખોરાક ખાવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. ડોક્ટરો મુજબ પ્રિઝર્વ કરેલા ખોરાકમાં કેમિકલ બનવા લાગે છે અને 2-3 દિવસ સુધી રાખેલો આવો ખોરાક ખાવાથી કેન્સર થઈ શકે છે. લાઈફસ્ટાઈલને કારણે કેન્સરના કેસ વધી રહ્યા છે. જેમાંથી એક કારણ ખાનપાન પણ છે. પેટ સંબંધી કેન્સરને લઈને કહેવાય છે કે કેન્સર થવાના ચાર કારણોમાં એક પ્રિઝર્વ્ડ ફૂડ પણ છે.
પ્રિઝર્વ્ડ ફૂડ ખૂબ જ નુકસાન કરે છે
જ્યારે ખોરાકને પ્રિઝર્વ્ડ અથવા પેકેજ્ડ કરવામાં આવે છે ત્યારે તેમાં ઓક્સીજનનું લેવલ ઘટી જાય છે. જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી થાય છે. આ સિવાય જો પ્રિઝર્વ્ડ ફૂડ નોનવેજ હોય તો તેમાં કાર્સિનોજેનિક એટલે કે કેન્સર પેદા કરનાર તત્વ બનવા લાગે છે અને તેના કારણે કેન્સર થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.
પ્રિઝર્વ્ડ ફૂડમાં અનેક પ્રકારના કેમિકલ્સ પણ હોય છે
જે રીતે લોકોની રહેણીકરણી બદલાઈ છે, લોકો વધુને વધુ પેકેજ્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે પણ આ ખોટું ચલણ છે અને તેનાથી બહુ મોટો ખતરો પણ છે. આને લઈને દુનિયાભરના ઘણાં સેન્ટર્સે મળીને સ્ટડી પણ કર્યું અને તેમાં જાણવા મળ્યું કે પ્રિઝર્વ્ડ ફૂડમાં એવા કેમિકલ્સ બને છે જે કેન્સરનું કારણ બની રહ્યાં છે. આ જ