જે લોકોનું પેટ સાફ થઈ જાય છે, એ લોકો વધુ હેલ્ધી જીવન જીવી શકે છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે રોજ 2વાર પેટ સાફ થવું જરૂરી છે. તેના માટે ઘરનો સાદો અને પૌષ્ટિક ખોરાક અને ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવો જરૂરી છે. પણ ઘણાં લોકોને પેટ સાફ આવતું જ નથી, મહામુશ્કેલીથી બે કે ત્રણ દિવસે એકવાર પેટ સાફ આવે છે. જેને કબજિયાત કહે છે.
પેટ સાફ ન થાય તો શરીરમાં વધે છે રોગો
અમુક ખોરાક ખાવાથી કબજિયાત થાય છે
રોજ આ ખોરાક ખાવાથી કબજિયાત મટતી નથી
કબજિયાત થવાનું મુખ્ય કારણ અયોગ્ય અને અનહેલ્ધી ભોજન છે. અનહેલ્ધી ખોરાક ખાતા લોકોનું પેટ સાફ થતું નથી અને તેઓ ધીરે-ધીરે બીમારીઓના શિકાર બને છે. આજે અમે તમને એવા જ ખોરાક વિશે જણાવી રહ્યાં છે જેને ખાવાથી કબજિયાત ક્યારેય મટતી નથી.
બ્રેડ અને બેકરી આઈટ્મ્સ
આ ફૂડ્સમાં ફાઈબર નહીવત્ હોય છે અને સ્ટાર્ચની માત્રા વધું હોય છે. જેના કારણે પાચનતંત્ર ધીમું પડી જાય છે. એવામાં વ્યકિતને કબજિયાત થાય છે અને તે મટતી પણ નથી.
ચોખા
વ્હાઈટ ચોખામાં પોષક તત્વો અને ફાઈબર ઓછાં હોય છે. જેથી તેને ખાવાથી ઘણી વખત પેટની સમસ્યા થાય છે. આની જગ્યાએ ફાઈબરથી ભરપૂર બ્રાઉન રાઈસ ખાવાથી કબજિયાતની સમસ્યા થતી નથી.
ડેરી પ્રોડક્ટ્સ
જે લોકો વધુ પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ સેવન કરે છે. તેમને કબજિયાતની સમસ્યા વધુ થાય છે. તેમાં લેક્ટોસ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે પેટમાં દર્દ, બળતરા, સોજો અને કબજિયાતની સમસ્યા વધે છે.
રેડ મીટ
નોનવેજમાં પ્રોટીન અને અનહેલ્ધી ફેટ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે કબજિયાતની પરેશાની થાય છે. તેમાં ફેટ અને પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. જેને પચવામાં સમય લાગે છે અને કબજિયાતની સમસ્યા વધે છે.
ફ્રોઝન ફૂડ
ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા વધુ હોય છે. જેને પચાવવામાં વધુ સમય લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ તે હાનિકારક હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ થાય છે.
કોફી
ચા-કોફી, કોલ્ડ ડ્રિંક્સમાં કેફીન વધુ પ્રમાણમાં હોય છે. આવી વસ્તુઓનું વધુ સેવન કરવાથી પેટ ખરાબ થાય છે અને કબજિયાત થાય છે.