આંખોને ભગવાનનું સૌથી સુંદર ઉપહાર માનવામાં આવે છે. વિચાર કરો કે જો આંખો ના હોત તો તમે દુનિયાની સુંદરતાના દર્શન કેવીરીતે કરી શક્યા હોત. આ જ કારણ છે કે દરેક લોકોને ખૂબ જ નાજુક અંગની વિશેષ સારસંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે.
આંખોને સારી રાખવા માટે આહારની વિશેષ ભૂમિકા
આહારમાં આટલી વસ્તુઓનું સેવન આજથી જ ઓછું કરી દો
નહીં કરાવવુ પડે મોતિયાનું ઓપરેશન, આંખો રહેશે મસ્ત
ગાજર અને લીલી શાકભાજી આંખો માટે ગુણકારી
આંખોને સારી રાખવા માટે આહારની વિશેષ ભૂમિકા હોય છે, જેના માટે લોકોને વિટામિન-એ, ખનિજ અને પોષક તત્વોથી ભરપૂર આહારનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ગાજર અને અન્ય ચમકતા ફળ અને શાકભાજી આંખો માટે ગુણકારી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આહારની કેટલીક વસ્તુઓ આંખના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે?
શુગરનું વધુ સેવન હાનિકારક
વધારે માત્રામાં શુગરવાળી ચીજ વસ્તુઓનું સેવન માત્ર ડાયાબિટીસને નહીં, પરંતુ આંખોને પણ નુકસાન પહોંચાડે છે. એક અભ્યાસ મુજબ શર્કરાયુક્ત ખાદ્ય પદાર્થોનું વધુ માત્રામાં સેવન કરવુ ઉંમર મુજબ મેક્યુલર ડિજેનરેશનને જોખમ આપે છે. આ સ્થિતિમાં આંખોમાં કાળા ડાઘ લાગે છે. અભ્યાસમાં સામે આવ્યું કે જે લોકોના આહારમાં હાઈ ગ્લાઇસેમિક ઈન્ડેક્સવાળી ચીજ વસ્તુઓ વધારે હોય છે, તેમાં એએમડીનુ જોખમ વધારે હોય છે.
સોડા અને મીઠા પીણા છે નુકસાનકારક
વર્ષ 2018ના એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જોયુ કે અઠવાડિયામાં ચારથી વધુ કેન ડાઇટ સોડા અથવા અન્ય મીઠા પીણાનું સેવન કરનારા વ્યક્તિઓમાં પ્રોલિફેરેટિવ ડાયબિટીક રેટિનોથેપી (એક પ્રગતિશીલ રેટિનલ બિમારી)નું જોખમ વધુ જોવા મળ્યું. આરોગ્યના નિષ્ણાંતો મુજબ, મીઠા પીણા આંખો માટે તો નુકસાનકારક છે. આ સાથે તેનાથી ડાયાબિટીઝ અને મેદસ્વિતાનું જોખમ પણ વધે છે. તેથી તેના સેવનને મર્યાદિત કરવુ આવશ્યક છે.
ભોજનમાં ઘટાડો સોડિયમની માત્રા
સોડિયમની વધારે માત્રાને સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનુ કારક માનવામાં આવે છે. જો કે, સ્વાસ્થ્ય વિશેષજ્ઞ જણાવે છે કે આ આંખો માટે પણ નુકસાનકર્તા છે. અમુક સંશોધન આ વાતનો સંકેત આપે છે કે હાઈ સોડિયમવાળા આહારનું સેવન કરનારા લોકોમાં મોતિયાનું જોખમ વધુ જોવા મળે છે.