અનેક વાર આપણે ચીજો સારી રહે તે માટે તેને ફ્રિઝમાં રાખી દેતા હોઈએ છીએ પણ ખરેખર તે ફ્રિઝમાં રાખવનાથી ખરાબ થાય છે અને હેલ્થને નુકસાન કરે છે. તો આજથી આ 7 ચીજોને ફ્રિઝમાં રાખવાનું ટાળો તે યોગ્ય છે.
ફ્રિઝમાં ભૂલથી પણ ન રાખો આ 7 વસ્તુઓ
2-3 દિવસમાં જ ચીજ થઈ જાય છે ખરાબ
હેલ્થને થાય છે મોટું નુકસાન
સામાન્ય રીતે આપણે બજારમાંથી ફળ કે શાક લાવીએ ત્યારે તેને ધોઈને ફ્રિઝમાં રાખી લઈએ છીએ. પણ તે લાંબા સમય સુધી તાજા રહેવાના બદલે 2-3 દિવસમાં ખરાબ થાય છે. આ પછી તમારે તેને ફેંકી દેવા પડે છે. કારણ કે જો તમે તેનો ઉપયોગ કરો છો તો તે તમારી હેલ્થને નુકસાન કરે છે. તો જાણો એવી 7 વસ્તુઓ જેને ક્યારેય ફ્રિઝમાં ન રાખવી જોઈએ.
કેળા
આ એક એવું ફળ છે જે ખુલ્લી હવામાં સારું રહે છે. ફ્રિઝમાં તે કાળું પડે છે. તેની ડંડીની ઈથાઈલીન ગેસ રહે છે તે આસપાસના ફળને જલ્દી પકવે છે. જો તમે ફ્રિઝમાં કેળા રાખવા ઇચ્છો છો તો તેની ડંડીઓ પર પ્લાસ્ટિક લગાવી લો. જેથી તે થોડા લાંબા સમય સુધી સારા રહેશે.
ટામેટા
મોટાભાગે લોકો ટામેટાને ફ્રિઝમાં રાખવાનું પસંજ કરે છે.પણ સાચું માનો તો તેને ખુલ્લી હવામાં રાખવા. તડકામાં ઉગનારું આ ફળ ઠંડીમાં ખરાબ થી જાય છે. તેને સ્ટોર કરવા ફ્રિઝ યોગ્ય વિકલ્પ નથી.
સફરજન
કોઈ પણ બીજવાળા ફળને ફ્રિઝમાં ન રાખવા. અહીં રાખો તો તેને સૌથી નીચેના શેલ્ફમાં કાગળમાં લપેટીને રાખો. તે ઓછા તાપમાનમાં પણ એન્જાઈમ સક્રિય બને છે અને જલ્દી પાકે છે.
નારંગી અને લીંબુ
જો તમે આ ફળને ફ્રિઝમાં રાખો છો તો તેનો રસ સૂકાવવા લાગે છે. એટલું નહીં સાઈટ્રિક એસિડવાળા આ ફળને ઠંડી પસંદ હોતી નથી અને તેની છાલ પર ડાઘ પડે છે. તેના સ્વાદ પર પણ તેની અસર થાય છે.
લસણ
લસણને ક્યારેય ફ્રિઝમાં ન રાથો. તેનાથી તે એક્ટિવ થાય છે અને સાથે થોડા દિવસમાં અંકુરિત થવા લાગે છે. એટલું જ નહીં તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. લસણ અને ડુંગળીને તમે એકસાથે રાખી શકો છો અને તે પણ ખુલ્લી જગ્યાએ જ્યાં તડકો ન પડતો હોય.
ડુંગળી
સામાન્ય રીતે લોકો તેને બહાર જ રાખે છે પણ તે ભેજથી ખરાબ થવા લાગે છે. ભેજ મળતાં તે ઢીલા પડી જાય છે. શક્ય હોય ત્યાં સુધી ડુંગળીને સૂકી અને અંધારી જગ્યાએ રાખો તે યોગ્ય છે.
બટાકા
બટાકાને માટે 45 ડિગ્રીનું તાપમાન યોગ્ય માનવામાં આવે છે. એવામાં તેને ફ્રિઝમાં રાખો છો તો તે ખરાબ થઈ જાય છે. ફ્રિઝમાં તેના સ્ટાર્ચ ખાંડમાં ફએરવાઈ જાય છે અને સ્વાદ પર ખરાબ અસર થાય છે.