દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામમાં ફૂડ પોઇઝનિંગથીધાર્મિક પરસંગ બિમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે મંગળવારે વધુ 4 ના મોત થતાં મૃતકાંક 8 ઉપર પહોંચ્યો
દાહોદના ભુલવણ ગામમાં ફૂડ પોઇઝનિંગ કેસ
વધુ એક મોત થતા મૃત્યુ આંક 8 પર પહોચ્યો
બે દિવસ પહેલાની ઘટનામાં મૃત્યુ આંક વધ્યો
દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામમાં ફૂડ પોઇઝનિંગથીધાર્મિક પરસંગ બિમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે મંગળવારે વધુ 4 ના મોત થતાં મૃતકાંક 8 ઉપર પહોંચ્યો છે. સોમવારની આ ઘટનામાં આગલા દિવસે વાસી મટન રાંધ્યા બાદ ખેતરમાં જ ખાણીપીણી કરનારા લોકોના જ મોત કે અસ્વસ્થ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જોકે, વાસી મટન ખાતા ફુડ પોઇઝન થયું કે તેમના ભોજનમાં કોઇ પ્રકારનો ઝેરી પદાર્થ ભળતા ઘટના ઘટી છે તે તો FSLના રિપોર્ટ બાદ જ જાણી શકાય તેમ છે. ઉલ્લેખનિય છે કે જ્યાં મટન રાંધવામાં આવ્યું ત્યાંથી દારૂ અને કફ સીરપ લખેલી બોટલો સહિત ખૂણેથી સફેદ રંગનો પાવડર મળતાં શંકાના વાદળો ઘેરાયા હતા.
મૃત્યુઆંક 8 પર પહોંચતાં તંત્ર દોડતું થયું
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામમાં 11 ડિસેમ્બરના રોજ એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. બાદમાં લોકોએ તે દિવસે મટન રાંધ્યા બાદ જમીને છુટા થયા હતાં. બચેલું અડધુ મટન બીજા દિવસે બનાવવા માટે રાખ્યુ હતું. 12 ડિસેમ્બરના રોજ સાંજે આગલા દિવસનુ બચેલું અડધા મટન બનાવીને જમ્યા હતાં. ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ અંતિમ દિવસ હોવાથી 50 જેટલા લોકો ભેગા થયા હતાં. વિધિ સ્થળથી થોડે દૂર હંગામી ચુલા ઉભા કરીને આગલા દિવસનું મટન બનાવવામાં આવ્યુ હતું. ત્યારે આ સ્થળે બનાવાયેલુ મટન કે અન્ય પીણુ જેટલા લોકોએ પીધુ હતુ તેટલા 17 લોકો જ લોકો ફુડ પોઇઝનિંગનો ભોગ બન્યા હતાં. તેમાંથી 4 લોકોના ઘરે અને 3ના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા હતાં. આ ઘટનામાં મંગળવારે વધુ 4 લોકોનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 8 પર પહોંચતાં આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.