બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પૂર અસરગ્રસ્ત લોકોને ન અપાયા ફૂડ પેકેટ, વહીવટીતંત્રની બેદરકારીથી ઉઠ્યા અનેક સવાલ
Last Updated: 06:14 PM, 4 September 2024
વડોદરા તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાની વારી રહી છે. ત્યારે હાલ તંત્રની વધુ એક બેદરકારીના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સમાનો કરવાની વારી આવી હતી. જેમાં સૂકા ચેવડા, પાણીની બોટલોનો સર્કિટ હાઉસ મુકી રાખવામાં આવતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ADVERTISEMENT
વડોદરા વહીવટી તંત્રની વધુ એક ઘોર બેદરકારી છતી થઇ હતી. એક તરફ લોકો ફૂડ પેકેટ માટે ટળવળતા રહ્યા ત્યારે તંત્રએ ફૂડ પેકેટ સાચવીને મૂકી રાખ્યા હતા. પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાના સરકારના આદેશને વડોદરાના વહીવટદારો ઘોળીને પી ગયા હોવાનું સામે આવ્યુ છે.
ADVERTISEMENT
જેમાં તંત્ર દ્વારા 4080 પાણીની બોટલો અને 150 બોક્ષ સુકા નાસ્તાના પેકેટોનો સર્કિટ હાઉસ ખાતે સંગ્રહ કરી રખાયો હોવાનું સામે આવતા વડોદરા તંત્રના અણઘડ વહીવટ સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે આ ઘટનાને લઇ વડોદરાવાસીઓમાં રોષની માત્રા વધી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુરુની વાસના ન છૂટી ! NRI મહિલા રેપમાં યોગ ગુરુની 'પૂર્વજન્મ'ની વાત, ભારે ચોંકાવનારું
ADVERTISEMENT
ઉપરાંત હવે તંત્ર જો આ સંઘરેલા ફૂડ પેકેટ વેચવા જાય તો પ્રજા રોષે ભરાય અને પરત મોકલે તો સરકાર અકળાય તેવી સ્થિતિ સર્જાઈ સર્જાઇ છે. જેને લઇ હાલ અધિકારીઓ પણ ભરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.