રેશનિંગની ખાંડનાં વિતરણ માટે જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) હેઠળ અનાજના વિતરણની જેમ એક પારદર્શી, ઓનલાઇન પ્રોસેસ તૈયાર કરવામાં આવશે.
જે પછી કેબિનેટ પાસે પ્રતિ માસ એક કિલોગ્રામ ખાંડ પર સબસિડી આપવા માટે મંજૂરી મેળવવામાં આવશે.
ફૂડ મિનિસ્ટ્રીને ખાંડનાં વિતરણ માટે ઓનલાઇન પ્રક્રિયા તૈયાર કરવા જણાવાયું છે. સબસિડી સાથે ખાંડના સપ્લાયથી 17.89 કરોડ ગરીબ પરિવારોને લાભ થશે.
ભાજપનાં ચૂંટણી ઢંઢેરામાં ગરીબ પરિવારોને ખાંડ પર સબસિડી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. સરકારે 2017માં ગરીબ પરિવારોને પીડીએસ હેઠળ સબસિડી પર ખાંડનો સપ્લાય રોકી દીધો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં અંત્યોદય હેઠળ આવતાં તમામ ગરીબ પરિવારો માટે એક કિલો ખાંડનું વિતરણ ફરથી શરૂ થશે.આ પરિવારોને પીડીએસ હેઠળ માત્ર રૂ. 13.50ના ભાવે એક કિલો ખાંડ મળશે.
ફૂડ મિનિસ્ટ્રીના એક અધિકારીએ જણાવ્યું કે ગરીબ પરિવારોને સબસિડી પર એક કિલો ખાંડ આપવાની દરખાસ્ત નવી મોદી સરકારના કેબિનેટની રચનાની 24 કલાકની અંદર મળેલ પ્રથમ કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવી હતી. આ બેઠકમાં ફૂડ મિનિસ્ટ્રીને ખાંડના વિતરણ માટે એક પારદર્શક પ્રક્રિયા તૈયાર કરવા જણાવાયું છે. હવે આ પ્રપોઝલને કેબિનેટની આગામી બેઠકમાં મંજૂરી મળી જવાની આશા છે. અનાજનાં વિતરણ માટે પીડીએસની વ્યવસ્થા સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ છે. તેમાં રેશનકાર્ડ/લાભાર્થી અને અન્ય ડેટાબેઝનું ડિજિટાઇજેશન,ઓનલાઇન એલોકેશન્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટનાં કમ્પ્યૂટીકરણનો સમાવેશ થાય છે.