'તુમ મુજે ખૂન દો, મૈ તુમે આઝાદી દુંગા' આવા સુત્રો દ્વારા દેશના યુવાનોને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરનાર સુભાષ ચંદ્ર બોઝની આવતી કાલે 123મી જન્મજયંતિ છે. 23 જાન્યુઆરી 1897માં ઓડીસાના કટકમાં જન્મેલા સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટેના આંદોલનમાં અગ્રણી રહ્યાં છે. તેમણે અંગ્રજો વિરુદ્ધ આઝાદ ફૌજ બનાવી હતી. પરંતુ હંમેશા દેશ માટે બલિદાન આપવા તૈયાર રહેતા સુભાષચંદ્રના મોત પર હંમેશા માટે રહસ્ય બનીને રહી ગયું છે.
18 ઓગસ્ટ 1945માં નેતાજી એ ત્રણ રેડિયો બ્રોડકાસ્ટ કર્યા હતાં. અને તે જ દિવસે તેનું પ્લેન ક્રેશમાં મોત થયું તેવી વાત સામે આવી હતી. પરંતુ તેમના હજુ સુધી કોઈ પુરાવા મળ્યાં નથી. પરંતુ અચાનક એવા સમાચાર સામે આવ્યા કે નેતાજી જીવિત છે. પણ આ રહસ્ય પરથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
'તુમ મુજે ખૂન દો મૈ તુમે આઝાદી દુંગા' આવા સુત્રો દ્વારા દેશના યુવાનોને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરનાર સુભાષ ચંદ્ર બોઝની આવતી કાલે 123મી જન્મજયંતિ છે. 23 જાન્યુઆરી 1897માં ઓડીસાના કટકમાં જન્મેલા સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટેના આંદોલનમાં અગ્રણી રહ્યાં છે. તેમણે અંગ્રજો વિરુદ્ધ આઝાદ ફૌજ બનાવી હતી. પરંતુ હંમેશા દેશ માટે બલિદાન આપવા તૈયાર રહેતા સુભાષચંદ્રના મોત પર હંમેશા માટે રહસ્ય બનીને રહી ગયું છે.
નેતાજી સુભાષચંદ્રના ગાયબ થયા બાદ તમામ પ્રકારની તપાસ કરવામાં આવી. 18 ઓગસ્ટ 1945ના દિવસે નેતાજી ૩ રેડીયોમાં બ્રોડકાસ્ટ કર્યું હતું. ત્યારબાદ તે જ દિવસે તેવા સમાચાર આવ્યા કે પ્લેન ક્રેશ થયું છે જેમાં નેતાજી પણ હતા અને તેમનું મૃત્યુ થયું છે. પરંતુ તે વાતના કોઈ પુરાવા મળ્યાં ન હતા. ત્યારબાદ એવી પણ વાતો સામે આવી હતી કે નેતાજી જીવિત છે અને તે અયોધ્યાના સિવિલ લાઇસન્સ સ્થિત રામભવનમાં બાવા બની બેઠા છે. જેમને લોકો ભગવાન કહે છે. અને તે કોઈ લોકોને મળતા નથી. માત્ર થોડાક સમય માટે જ બહાર આવે છે અને ખુબ ઓછું બોલે છે. ઘણા લોકો તેમને ગુમનામી બાબા તરીકે પણ ઓળખાતા હતા.
16, સપ્ટેમ્બર 1985માં તેમની મૃત્યુ થઈ ગઈ હતી. તેમના મૃત્યુના 2 દિવસ બાદ કોઈ જાણે નહી તે રીતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે તે જે રૂમમાં રહેતા તેમની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તે કોઈ સાધારણ બાવા ન હતાં. જ્યારે રૂમની તપાસ થઈ ત્યારે રૂમમાંથી ડઝન ચશ્માં, 555 સિગારેટ અને વિદેશી દારૂની બોટલો મળી હતી. તેમજ રોલેક્સની ઘડિયાળ અને આઝાદ હિંદ ફૌજની યુનિફોર્મ મળી હતી.
ગુમનામી બાબાના રૂમમાં મળતી વસ્તુઓએ તે નેતાજી હોવાના સંકેત મળ્યાં હતાં. ત્યારબાદ તેમની પુત્રી લલિતા બોઝે 1986માં અલ્હાબાદ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ગુમનામી બાબા જ નેતાજી હતા. જે બાદ વર્ષ 1999માં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ મનોજ મુખર્જીએ તપાસ કરી અને તેમણે કહ્યું કે નેતાજીની વિમાન દુર્ઘટનામાં મોત થઈ નથી. પરંતુ સરકારે આ વાતને સ્વીકાર કરી ન હતી.
વર્ષ 2010માં ફરી આ વાતને લઈને વિવાદ થયો હતો અને અલગ અલગ પ્રકારના નિવેદનો પણ સામે આવ્યા હતા. ત્યારબાદ 28 જૂન 2016માં ફરી એક વખત તપાસ શરુ થઈ અને 130 પેજનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. પરંતુ ગુમનામી બાબની વધારે માહિતી ન મળતાં. હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.