દિલ્હી વિધાનસભામાં ભાષણ આપતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હું ભગવાન રામનો પણ ભક્ત છું.
દિલ્હી સીએમ કેજરીવાલનું વિધાનસભામાં ભાષણ
સીએમ બોલ્યાં, હું હનુમાનની સાથે સાથે રામનો પણ ભક્ત છું.
દિલ્હીમાં રામરાજ્ય લાવવાની કોશિશ-કેજરીવાલ
ગણાવ્યાં રામરાજ્યના 10 સિદ્ધાંત કહ્યું તેને ફોલો કરીશું.
તેમણે કહ્યું કે તેઓ હનુમાનના ભક્ત છે અને હનુમાન રામચંદ્રજીના... તો આ નાતે હું રામચંદ્રજીનો પણ ભક્ત થયો. અમારી સરકારે છેલ્લા 6 વર્ષમાં દિલ્હીમાં રામરાજ્ય લાવવાની કોશિશ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બન્યા બાદ સરકાર વૃદ્ધોને મફતમાં દિલ્હીથી અયોધ્યાની યાત્રા કરાવશે.
કેજરીવાલે રામરાજ્યના નીચે પ્રમાણેના 10 સિદ્ધાંત ગણાવ્યાં
(1) કોઈ ભૂખ્યું ન રહે
(2) બાળકોને સારુ શિક્ષણ મળે
(3) તમામને સારી સારવાર મળે
(4) ચોવીસ કલાક મફત વીજળી
(5) તમામને રોજગારી મળી રહે
(6) બધાને પાણી મળી રહે
(7) બેઘરોને મકાન મળે
(8) મહિલાઓને સુરક્ષા મળે
(9) વૃદ્ધોને સન્માન મળે
(10) તમામને સમાન અધિકાર
કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા 1 વર્ષમાં દેશ અને દિલ્હીએ કોરોના મહામારીનો સામનો કર્યો છે. નેતાઓ ભલેને ગમે તેટલા વખાણ કરે પરંતુ હોસ્પિટલમાં સારવાર તો ડોક્ટરોએ જ કરી છે. અમે અને ગૃહ દિલથી ડોક્ટર, નર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વૈજ્ઞાનિકોનો આભાર માનીએ છીએ.