પૌષ્ટિક આહાર લેવા છતાં કેટલીક આદતોના કારણે તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ સવારની કેટલીક આદતો જે તમારા પાચન, વાળ અને ત્વચાને પોષણ આપી શકે છે.
પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
પોષક તત્વોને શરીરમાં મિક્ષ કરવામાં કરે છે મદદ
સવારે ઉઠતાની સાથે જ કરો સેવન
શ્વાસની દુર્ગંધ તમારી જીવનશૈલી પર ખરાબ અસર કરે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. કેટલીકવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે તમારે શરમમાં મુકાવવું પડે છે. એટલા માટે તમને ખાવાની સાથે તમારી દિનચર્યામાં પણ ફેરફાર કરવાની સલાહ આપવામાં આવે છે. આ સલાહને અનુસરીને મોંની દુર્ગંધથી બચી શકાય છે. આ આદતોથી તમે તમારૂ પાચનતંત્ર, વાળ અને ત્વચાને પણ સુધારી શકો છો. ચાલો જાણીએ કે કઈ આદતોને તાત્કાલિક બદલવાની જરૂર છે.
પાણી પીવું
બોડી ડિટોક્સ માટે પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાણી પીવાથી શરીરને પોષક તત્વો મળે છે. તમે જે પણ ખાઓ છો તેના પોષક તત્વો સાથે મળીને પાણી શરીરમાં ગ્લુકોઝ બનાવવામાં મદદ કરે છે. સવારે એક ગ્લાસ પાણી પીવાથી શરીરમાં તાજગીનો અહેસાસ થાય છે અને તમે દિવસભર એનર્જી સાથે કામ કરી શકો છો. તેથી તમારે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી બોડી ડિટોક્સ પણ થાય છે જેના કારણે વાળ અને સ્કીન ચમદાર બને છે. સાથે જ તેનાથી શ્વાસમાં દુર્ગંધ આવતી નથી. કારણ કે પાણી પીવાથી બેક્ટેરિયા કે મૃત કોષો એકઠા થતા નથી.
દાતણનો ઉપયોગ
જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માંગતા હો, તો તમારે બાવળ અથવા અન્ય કોઈપણ ફાયદાકારક ઝાડના લાકડામાંથી બનાવેલ દાતણનો ઉપયોગ કરવો જોઈએ. તે કુદરતી ગુણધર્મો ધરાવે છે. જે મૂળમાંથી બેક્ટેરિયાને ખતમ કરીને પેઢાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સંપૂર્ણપણે બાયો-ડિગ્રેડેબલ છે. જે પર્યાવરણને નુકસાન કરતું નથી.
ઓઈલ પુલિંગ
આ પ્રક્રિયાને આયુર્વેદમાં પ્રસિદ્ધ ટેકનિક ગણવામાં આવે છે. જે મોઢામાંથી બેક્ટેરિયા અને કીટાણુઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા લોકો નાળિયેર તેલનો ઉપયોગ કરીને ઓઈલ પુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરે છે. કારણ કે તે કરવું સરળ છે. તેમાં એન્ટી-ઈફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. જે દાંતને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. નારિયેળ તેલ સિવાય તમે ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.