ભારતનાં સૌથી જૂનાં પરંપરાગત શસ્ત્રો પૈકીનું એક છે વસ્તુ શાસ્ત્ર. તેનાં કેટલાક નિયમો પાળવાથી ઘરમાં બરકત રહે છે. અહીં જાણો આવા જ કેટલાક નિયમો અને તથ્યો વિશે.
વાસ્તુશાસ્ત્ર છે ભારતનું પરંપરાગત શાસ્ત્ર
ઘર બનવવાનાં અમુક નિયમો
ઘરમાં સુખ સંપતિ માટે રાખવું જોઈએ ધ્યાન
વર્ષો પહેલાના મકાનોમાં ટોઇલેટ અને બાથરુમ ઘરની બહાર બનાવવામાં આવતા હતા. તેનુ કારણ એ માનવામાં આવતુ હતુ કે ઘરમાં ટોઇલેટ અને બાથરુમ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે.
સ્ટડી રૂમને બાથરૂમથી દુર રાખો
ક્યારેય પણ બાળકોના ભણવાના રુમને બાથરૂમ સાથે ન રાખો. આમ કરવાથી બાળકોના ધ્યાનમાં કમી આવી શકે છે. ઘરના સ્ટડી રૂમને પણ બાથરૂમથી દુર રાખવામાં જ ભલાઇ છે. કોશિશ કરો કે બાથરૂમ અને ટોઇલેટના દરવાજા ઘરના દરવાજાની સાથે બહારની તરફ જ બને.
અરીસાની અસર
વાસ્તુ અનુસાર ટોઇલેટ કે બાથરૂમમાં અરીસો ન હોવો જોઇએ. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં રહેતી વ્યક્તિઓના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. જો દર્પણ વાસ્તુ અનુસાર રાખવામાં આવે તો તે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.
તેથી વ્યક્તિએ કમસે કમ ઘરનુ નિર્માણ કરતી વખતે ટોઇલેટ અને બાથરુમ બનાવવામાં વાસ્તુ ટિપ્સનુ પાલન કરવુ જોઇએ. જો તેનુ નિર્માણ વાસ્તુ માર્ગદર્શકો અનુસાર ન થયુ હોય તો આ કારણે મકાન અને તેના રહેવાસીઓ પર પ્રતિકુળ પ્રભાવ પડે છે. ટોઇલેટ બાથરુમની કેટલીક ટિપ્સ જાણવા જેવી છે.
ટોઇલેટનો દરવાજો
વાસ્તુ અનુસાર બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઇએ, ભલે બાથરૂમ ગમે તેટલુ સ્વચ્છ કેમ ન હોય. દરવાજો હંમેશા બંધ રાખવામાં જ સમજદારી છે. તેનાથી ઘરમાં પોઝિટિવ વાઇબ્રેશન જળવાયેલા રહેશે.
ટોઇલેટ ફ્રેશનર
બાથરૂમ અને ટોઇલેટ બંને જગ્યાએ ટોઇલેટ ફ્રેશનરનો ઉપયોગ કરવો જોઇએ. બાથરૂમમાં સારી સ્મેલ આવતી રહેશે તો ઘરમાં નેગેટિવ વાઇવ્સ નહી આવે. ઘરમાં જેટલા બાઝરૂમ ટોઇલેટ હોય તે બધામાં ટોઇલેટ ફ્રેશનરનો ઉપયોગ કરવો જોઇએ.
સાફ સફાઇનુ ધ્યાન રાખો
બાથરૂમ હંમેશા સાફ સુથરુ હોવુ જોઇએ. રોજ ઘરના બધા સભ્યો સ્નાન કરી લે ત્યારબાદ સારી રીતે ટોઇલેટ બાથરુમની સફાઇ કરો.