બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:29 PM, 18 February 2025
1/7
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં દરેક વસ્તુને કઈ દિશામાં કે કયા ખૂણામાં મૂકવી તેના માટેના ચોક્કસ નિયમો છે. એવું કહેવાય છે કે ઘરનો દરેક ખુણો કોઈનાં કોઈ ગ્રહ સાથે સીધો સંબંધ રાખે છે. ઘરમાં અમુક વસ્તુઓ અને દિશાનું પાલન કરીને તમે કુંડળીમાં ગ્રહની સ્થતિ મજબૂત કરી શકો છો. ચાલો જાણીએ ઘરને લગતી વસ્તુ ટિપ્સ વિશે.
2/7
3/7
આ જગ્યા ઘરમાં દરેક સંબંધોમાં ખુશીઓ લાવનારી જગ્યા કહેવાય છે. આમાં થોડા સુધારા કરીને જીવનમાંથી હતાશા અને તણાવ દૂર કરી શકાય છે. માટે આ સ્થળને હંમેશા પ્રકાશિત રાખો. અહીં હળવી સુગંધ આખો દિવસ આવે તેવી ગોઠવણ કરવી જોઈએ. આ રૂમમાં ફૂલ મૂકો. ખાસ આ રૂમમાં જૂતાં અને ચંપલ ના રાખો.
4/7
રસોડાને ઘરનું દવાખાનું પણ કહેવામાં આવે છે. રસોઈ એવી જગ્યા છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે માટે રસોડામાં સૂર્યપ્રકાશ આવે તે સારી વાત માનવામાં આવે છે. આ ઉપરાંત રસોડામાં વસ્તુઓ વ્યવસ્થિત રાખો. તમારા રસોડામાં દરેક વ્યક્તિને પ્રવેશવાની મંજૂરી આપશો નહીં. ઉપરાંત પૂજા પછી રસોડામાં અગરબત્તી મૂકો.
5/7
બેડરૂમને સુખ અને સમૃદ્ધિનો રૂમ કહેવાય છે. માટે બેડરૂમનો રંગ હંમેશા હળવો રાખો. આછો લીલો કે ગુલાબી રંગ શ્રેષ્ઠ રહેશે. બેડરૂમમાં ટેલિવિઝન ન રાખો. હળવું સંગીત ગોઠવી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી આ જગ્યાએ જમવાનું કે અન્ય કોઈ પણ ખોરાક લેવાનું ટાળો. જો બેડરૂમમાં સૂર્યપ્રકાશ અને હવાની વ્યવસ્થા હોય તો તે ખૂબ સારું રહેશે.
6/7
7/7
સીડી કોઈપણ ઘરની પ્રગતિ સાથે સંબંધિત છે. તે જીવનના ઉતાર-ચઢાવ સાથે સંબંધિત છે. સીડી રાહુ અને કેતુ સાથે સંબંધિત છે. ખોટી સીડીઓ જીવનમાં અણધારી સમસ્યાઓ ઉભી કરે છે. દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સીડી હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સીડીઓ ઉત્તરથી દક્ષિણ દિશામાં અથવા પૂર્વથી પશ્ચિમ દિશામાં બનાવવી જોઈએ. સીડીઓ બને તેટલી ઓછી વળાંકવાળી રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ