આપણી લાઇફમાં ઘણીવખત એવુ બનતુ હોય છે કે ગમે તેટલી મહેનત કરવામાં આવે તેમ છતાં સફળતા મળતી નથી.
ઘણી વખત સફળતા ના મળતા નિરાશ થઇ જઇએ છીએ અને નસીબને દોષ આપીએ છીએ. જોકે આપણા દ્વારા કરવામાં આવી નાના-નાની ભૂલો પણ પણ સૌભાગ્યને દુર્ભાગ્યમાં ફેરવી નાખે છે. વાસ્તુના એવા ખાસ મંત્ર છે જે ધન વુદ્ઘિમાં કારગર સાબિત થાય છે.
- સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો. દીવમાં કેટલાક ચોખા પર મૂકો, ઘરના મુખ્ય દરવાજા પર ચંપલ મૂકવા જોઇએ નહી. સવારે સૌથી પહેલા ઉઠીને ઘરના મુખ્ય દરવાજા પર એક લોટો પાણીનો નાખો અને લક્ષ્મી માતાનું ધ્યાન ધરવાથી અને પિતૃઓને યાદ કરવાથી ધનમાં વધારો થાય છે.
- ઘરમાં મોટેભાગે ચપ્પલ જ્યાં-ત્યાં રાખી દઈએ છીએ, જે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે ખોટું છે. વાસ્તુ પ્રમાણે ચંપલોને એક સાથે જોડી બનાવીને રાખવા જોઇએ. જો જૂતા ઉંઘા ન પડ્યા હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવુ કારણ કે ઉંઘા પડેલા ચંપલ અપશુકન માનવામાં આવે છે. ઘરમાં સાવરણી અને પોતાને ખુલ્લ જગ્યાએ ના રાખો. આ વસ્તુઓને ત્યાં મૂકો જે જગ્યાએ કોઇની નજર ના જાય.
- સાંજના સમયે કપૂરને સળગાવીને તમામ ઘરમાં ફેરવો. વાસ્તુ વિજ્ઞાન અનુસાર, કપૂર નકારાત્મક ઉર્જાને ઘરમાં ટકવા દેતુ નથી. ઘરમાં સકરાત્મકતા આવે તે માટે નિયમિતરીતે કપૂરની આરતી કરવી જોઇએ. સૂર્યાસ્તના સમયે ઘરના કોઇ પણ સમયે ભોજન ના લેવુ જોઇએ. સૂર્યાસ્ત પહેલા જ જમી લેવુ જોઇએ. જો આમ શક્ય ન હોય તો સૂર્યાસ્ત પછી જમવુ.
-વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાતે સૂતા પહેલા અમૂક ઉપાયો કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. રાતે સૂતા પહેલા હાથ, મોં, પગ ધોઇને સૂઇ જવુ જોઇએ. ભીના પગે બેડ પર ના પડવુ જોઇએ. વિજ્ઞાન પ્રમાણે ભીના પગે સૂઇ જવાથી રોગોમાં વુદ્ઘિ થાય છે અને ધનને નુકસાન પહોંચે છે.
- વાસ્તુશાસ્ત્ર કહે છે કે પથારીમાં ઉંઘો ત્યારે પૈસા વિશે ના વિચારો. કેટલાક લોકોની આદત હોય છે કે રાતે સૂતા પહેલા પૈસાનો હિસાબ કરવા બેસી જાય છે, જે આર્થિક રૂપથી નુકસાનકારક હોય છે. એટલે કે સૂતા પહેલા ભગવાન અને કુળ દેવી-દેવતાનું ધ્યાન ધરવુ લાભકારી સાબિત થાય છે.