આપણી લાઇફમાં ઘણીવખત એવું બને છે કે ગમે એટલી મહેતન કર્યા પછી પણ તેમાં સફળતા મળતી નથી. આમ થવા પર નિરાશ થઇને નસીબને દોષ આપીએ છીએ. જોકે આપણા દ્વારા કરવામાં આવતી નાની-નાની ભૂલો જ સૌભાગ્યને દુર્ભાગ્યમાં ફેરવી દે છે. વાસ્તુના એવા ખાસ મંત્ર છે જે ધન વૃ્દ્ઘિ કરવામાં કારગર સાબિત થશે.
- સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવડો પ્રગટાવ્યો. દીવડામાં કેટલાક ચોખા રાખો. ઘરના મુખ્ય દરવાજા સહિત કોઇ પણ રૂમના દરવાજા પર ચપ્પલ મૂકવા નહી. સવારે ઉઠીને ઘરના મુખ્ય દરવાજા પર એક લોટો પાણીનો નાખો અને સાથે જ લક્ષ્મી માતાનું ધ્યાન ધરવાથી અને પિતૃઓને યાદ કરવાથી ધન વધે છે.
- આ સિવાય ઘણી વખત ઘરમાં ગમે ત્યાં ચપ્પલ મૂકી દઇએ છે, જે વાસ્તુપ્રમાણે યોગ્ય નથી. વાસ્તુ પ્રમાણે ચપ્પલોને એક સાથે જોડી બનાવીને રાખવા જોઇએ. જૂતા ઉંઘા ના પડ્યા હોય તે વાતનું પણ ચોક્કસથી ધ્યાન રાખવું જોઇએ. ઘરમાં સાવરણી અને પોતાને ખુલ્લી જગ્યામાં ના રાખઓ, આવી વસ્તુઓ એવી જગ્યા મૂકો જ્યાં કોઇની નજર ના પડે.
- સાંજના સમયે કપૂર સળગાવીને ઘરના તમામ રૂમોમાં ફેરવો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કપૂર નકારાત્મક ઉર્જાને ઘરમાં ટકવા દેતુ નથી. ઘરમાં સકારાત્મકતા આવે તે માટે નિયમિત કપૂરની આરતી કરવી જોઇએ. સૂર્યાસ્તના સમયે ભોજન ના કરવુ. સૂર્યાસ્ત પહેલા જ જમી લેવુ યોગ્ય છે. જો આમ શક્ય ના થાય તો સૂર્યાસ્ત પછી જમવુ જોઇએ.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રાત્રે સૂતા પહેલા કેટલાક ખાસ ઉપાયો અજમાવવા જોઇએ. રાત્રે સૂતા પહેલા હાથ, મોં અને પગ ધોઇને લૂછી લેવા. ભીના પગે બેડ પર ચઢવું નહી, વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ભીના પગે બેડ પર ઉંઘવાથી રોગોમાં વધારો થાય છે અને ધનને નુકસાન પહોંચે છે.
- વાસ્તુ પ્રમાણે પથારીમાં ઉંઘો ત્યારે પૈસા વિશે ના વિચારો. કેટલાક લોકોની એવી આદતો હોય છે કે, રાત્રે સૂતા પહેલા પૈસાનો હિસાબ કરવા બેસી જાય છે જેના કારણે આર્થિક નુકસાન થાય છે. આ સમયે ભગવાન અથવા તો કુળ દેવી-દેવતાનું ધ્યાન કરવુ વધારે લાભદાયી સાબિત થાય છે.