માટીના માટલા કે ઘડામાં રાખેલા પાણીની તાસિર ઠંડી હોય છે. સામાન્ય રીતે આ પાણીનુ તાપમાન 25થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોયછે. તેને ગરમીમાં ગમે ત્યારે પી શકાય છે. તે આરોગ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આ પાણી શરીરના તાપમાનને નિયંત્રિત કરવા ઉપરાંત અલ્સર, અપચો, એસિડીટી, આંખોમાં બળતરા, ત્વચા સંબંધિત સમસ્યાઓ, માથાનો દુખાવો, યુરિનમાં બળતરા જેવી સમસ્યાઓમાં લાભ આપે છે. માટલાની માટીમા માઇક્રોન્યુટ્રિઅન્ટ હોય છે. જે શરીરમાં તેની કમીને પુર્ણ કરે છે. કોઇ પણ સીઝનમાં માટીના વાસણમાં રાખેલુ પાણી સવારે ઉઠતા તરત જ પીવો. જેને તાવની ગંભીર સમસ્યા હોય તેણે આ પાણી વધુ ન પીવુ જોઇએ. યોગ્ય માટલાની ઓળખ તેને ખખડાવવાથી થઇ જાય છે.
કેવી રીતે પાણી ઠંડુ થાય છે.
માટીના માટલાની સપાટી પર રહેલા છિદ્ર અંદર રાખેલા પાણીમાંથી જરુરિયાત પ્રમાણે પાણીને શોષી લે છે. આવામાં જ્યારે બહારની સપાટી પર હવા લાગે છે ત્યારે અંદર રાખેલુ પાણી ઠંડુ થઇ જાય છે. સફાઇના અભાવથી જ્યારે તે છિદ્ર માટી કે કચરાથી બંધ થઇ જાય છે ત્યારે પાણી ઠંડુ થઇ શકતુ નથી. માટલાનું તત્વ ધરતી છે. તેમાં કોઇ ઘાતુની ઉપસ્થિતિ ન હોવાથી પાણીની પ્રકૃતિમા કોઇ બદલાવ થતો નથી. તેને પીવાથી થર્મોરેગુલેટ્રી મિકેનિઝમ ખુબ સારી રીતે કામ કરે છે. ફ્રિઝનુ પાણી શરીરની પ્રકૃતિ કરતા વધુ ઠંડુ હોવાથી મિકેનિઝમ ડિસ્ટર્બ થઇ જાય છે.
આ વસ્તુઓ ભેળવો
માટલાને સાફ કરીને ખસખસની લાકડી ઉપરાંત તુલસીના પાન, ફુદીનો કે ખીરા અને આદુ એકસાથે નાખો. તેમાથી કોઇ એક આખી રાત પાણીમાં રહેવા દો. બીજા દિવસે આખો દિવસ આ પાણી પીવાથી લોહી શુધ્ધ થશે. ફુદીના, ખીરા અને આદુનુ પાણી શરીર માટે ડિટોક્સ વોટર છે. તે શરીરના દુષિત કણોને બહાર કાઢીને શરીરને શુધ્ધ કરશે.
24 કલાકમાં એક વાર સફાઇ કરો
માટલાની સફાઇ દર 24 કલાકના અંતરાલમાં થવી જોઇએ. અઠવાડિયામાં એકવાર ઉંડી સફાઇ માટે માટલાને પહેલા પાણીથી 2-3 વાર ધુઓ. પછી સુતરાઉ કપડાંથી અંદર હળવા હાથે સાફ કરો. છિદ્ર ખુલી જશે.
સીધી ફટકડી ન નાંખો
ફટકડી પાણી શુધ્ધ કરે છે, પરંતુ માટલામાં ડાયરેક્ટ ફટકડી ન નાંખો. કોઇ અન્ય વાસણમાં પાણી કાઢીને તેમાં ફટકડી નાંખો. ત્યારબાદ ગાળીને પાણી માટલામાં ભરી લો. માટીના તમામ વાસણો બનાવવામાં ચિકણી કાળી માટી ઉપયોગી છે.
સાવધાની રાખો
- માટલાનું પાણી ઠંડુ હોય છે. જો પરસેવો થતો હોય તો તરત જ પાણી ન પીવો. 10-15 મિનિટ બેસીને પાણી પીવો. જેમાં પરસેવો થવાનો હોય તેવી કોઇ પણ શારિરીક ક્રિયામાં પહેલા પાણી પી લો.
- ભોજન બાદ તેને પચાવવા માટે જઠરાગ્નિ જાગૃત થાય છે. આવા સંજોગોમાં ભોજન કરીને તરત માટલાનું ઠંડુ પાણી ન પીવો. તેનાથી ભોજનને પચવામાં સમય લાગશે.
- માટલાના પાણીમાં સુક્ષ્મ માત્રામાં પાણીના કણ હોય છે. જોકે તેનાથી કોઇ નુકશાન થતુ નથી, પરંતુ જેને કિડની સંબંધિત સમસ્યા હોય તે એક વખતમાં અડધો ગ્લાસ પાણી જ પીવે.