પૂજા પાઠ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો પૂજા સમયે આ વસ્તુઓની અવગણના કરવામાં આવે તો ઘરમાં ગરીબી, રોગ અને અશાંતિ આવી શકે છે.
પૂજા કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
નહીં તો ભોગવવું પડશે મોટુ નુકસાન
ઘરમાં આવી શકે છે ગરીબી, રોગ અને અશાંતિ
હિંદુ ધર્મમાં પૂજાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે પૂજા કરવાથી ભગવાનની કૃપા હંમેશા તેમના ભક્તો પર બની રહે છે. પરંતુ ઘણી વખત જોવા મળે છે કે કેટલાક લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે તેઓ પૂજા તો કરે છે પરંતુ તેમને પૂજાનું ફળ નથી મળતું. તેઓ સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે.
આ ભૂલોથી ક્રોધિત થાય છે ભગવાન
આવું એટલા માટે થાય છે કારણ કે પૂજા દરમિયાન તેઓ જાણતા-અજાણ્યે કેટલીક એવી ભૂલ કરી બેસે છે. જેના કારણે ભગવાન ક્રોધિત થાય છે અને ભક્તોને પૂજાનું ફળ નથી મળી શકતું. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પૂજા કરતી વખતે તમારે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પૂજા કરતી વખતે આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
પૂજા કરતી વખતે મન દૂષિત ન થવું જોઈએ. કહેવાય છે કે પૂજા દરમિયાન મનમાં ખરાબ વિચાર રાખવાથી પૂજાનું ફળ મળતું નથી.
પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ન કરવો. વાંસની બનેલી અગરબત્તી તો બિલકુલ ન પ્રગટાવવી. કારણ કે તેનો ઉપયોગ અંતિમ સંસ્કારમાં થાય છે. તેથી તેને અશુભ માનવામાં આવે છે.
પૂજા દરમિયાન ધૂપ, દીવો, અગરબત્તી પ્રગટાવ્યા પછી માચીસને ફૂંકીથી બુઝાવી ન જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાંથી લક્ષ્મી દૂર થઈ જાય છે.
ભગવાનને સ્નાન કરતી વખતે માત્ર આંગળીઓનો ઉપયોગ કરો અંગૂઠાનો નહીં. આમ કરવાથી ભગવાન નારાજ થાય છે અને ઘરમાં વિપત્તિ આવે છે.
પૂજાની શરૂઆત હંમેશા ભગવાન ગણેશની પૂજાથી કરો. શ્રીગણેશને ક્યારેય તુલસીના પાન ન ચઢાવો. કારણ કે આમ કરવાથી દોષ લાગે છે.
પૂજા દરમિયાન ક્યારેય પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં રોગ આવે છે.
ઘરમાં પૂજા કરતી વખતે ઘરમાં હંમેશા બે દીવા, એક ઘીનો અને બીજો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
દીવો ક્યારેય જમીન પર રાખીને પ્રગટાવો નહીં. આમ કરવાથી ધનનો વ્યય થાય છે અને ઘરમાં અશુભતા આવે છે.
કેતકીનું ફૂલ ક્યારેય પણ શિવજીને ન ચઢાવવું જોઈએ. આમ કરવાથી કામ બગડી શકે છે.
પૂજા દરમિયાન ક્યારેય પણ દીવા વડે અગરબત્તી કે ધૂપ ન પ્રગટાવો. આમ કરવાથી દરિદ્રતા આવે છે.
જો પૂજામાં વપરાતા ફૂલો સુકાઈ જાય તો તેને ફેંકી ન દો, પરંતુ સૂકાયેલા ફૂલોને કોઈ પવિત્ર નદીમાં વહાવી દો.
આરતી હંમેશા પૂજાના અંતે કરવી જોઈએ અને આરતી પછી એક જ જગ્યાએ ત્રણ વખત પરિક્રમા કરવી જોઈએ.