કોઈ પણ વ્યક્તિ હોય સફળતા મેળવવા માટે તે અનેક પ્રયાસો કરતો રહે છે. સફળતાની સીડી સારી તો લાગે છે પરંતુ તેને ચઢવાનું મુશ્કેલ હોય છે. આ સમયે જો તમે ચાણક્યનો આ મંત્ર અપનાવી લેશો તો તમે જીવનમાં ઝડપથી સફળતા મેળવી શકશો. તો જાણી લો આ ખાસ મંત્ર અને પછી કરો પ્રયાસ.
સફળતા મેળવવા કરો આ મંત્રનો જાપ
ચાણક્યની આ વાત જીવનમાં અપાવશે સફળતા
નાની વાતોનું ધ્યાન અપાવે છે મોટી સફળતા
ચાણક્યએ સફળતા માટે ખાસ શ્લોક આપ્યો છે જેને અનુસરવાથી શુભ પરિણામ મળી શકે છે.
આ શ્લોકમાં આચાર્યએ કહ્યું કે આપણે કોઈ લક્ષ્ય મેળવવું છે તો તેને માટે તમામ પ્રકારની શક્તિ લગાવીને કામની શરૂઆત કરવી. જે રીતે કોઈ સિંહ પોતાનો શિકાર કરે છે તે રીતે લક્ષ્ય પર નજર રાખવી.
કામ નાનું હોય કે મોટું, પૂરી તાકાત સાથે કરવું. તો જ કામયાબી તમારી પાસે આવે છે. સિંહ પોતાના શિકારને તમામ તાકાત લગાવીને ઝડપે છે અને શિકારને ભાગવાનો મોકો પણ આપતો નથી, આ કારણે તે શિકાર પકડવામાં ભાગ્યે જ અસફળ રહે છે.
આપણે પણ આપણા લક્ષ્યને શિકાર સમજીને આગળ વધવુ અને તે માટેના તમામ પ્રયાસો થાક્યા વિના કરતાં રહેવું.
જો તમે નાની સરખી પણ બેદરકારી દાખવશો તો તમે કામયાબીથી દૂર થઈ જશો.