જો તમને લાગે છે કે, ચણાના લોટથી બનેલી વાનગીઓ માત્ર સ્વાદમાંજ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં ન્યૂટ્રિશસ વેલ્યૂ નથી હોતી તો તમે ખોટું વિચારી રહ્યા છો. વાસ્તવમાં ચણાનો લોટ, પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાંથી ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ થા છે. ચણાના લોટમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને આ વેજિટેરિયન્સ માટે પ્રોટીનનો સ્ત્રોત પૂરુ કરવાનું કામ કરે છે. એટલું જ નહી ચણાના લોટની મદદથી તમે વજન પણ ઉતારી શકો છો, જાણો કેવી રીતે...
ઘંઉના લોટની સરખામણીએ બેસનમાં વધારે મળે છે પ્રોટીન
જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો સૌથી વધારે મદદરૂપ થશે ચણાનો લોટ. ઘંઉના લોટની સરખામણીમાં ચણાના લોટમાં કેલરી અને ફેટની માત્રા ઓછી હોય છે અને ફાઇબરની માત્રા વધારે હોય છે. એવામાં તમે ડાયટમાં પ્રોટીન અને ફાઇબરને શામેલ કરવાથી ભૂખ કંટ્રોલ થાય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. ચણાના લોટમાં કેલેરી ઇન્ટેક હોય છે જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ચણાના લોટથી બનેલી વાનગીઓ ખાઇને તમે શરીરનું વજન ઉતારી શકો છો.
ચણાના લોટના ખમણ:
ગુજરાતીઓના સૌથી ફેવરિટ ખમણ ચણાના લોટમાંથી બને છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ હોય છે. ખાસ કરીને ખમણ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. ખમણ તેલમાંથી નહી પરંતુ બાફીને બનાવવામાં આવે છે જે શરીર ઉતારવામાં મદદરૂપ સાબિત થાય છે.
ચણાના લોટના ચીલ્લા:
- ચણાના લોટમાંથી ટેસ્ટી ચીલ્લા બનાવીને બ્રેકફાસ્ટમાં ખાઇ શકો છો. પ્રોટીનથી ભરપૂર બેસનના ચીલ્લા ખાવાથી તમે દિવસની શરૂઆત કરશો તો લાંબા સમય સુધી ભૂખ નહી લાગે અને દિવસભર તાજગી મહેસૂસ થશે. તમે ઇચ્છો તો તમારી પસંદગીના શાકભાજી પણ ચીલ્લાના ખીરાંમાં નાખી શકો છો. ચીલ્લા બનાવવામાં ઓછા તેલનો ઉપયોગ કરો જેથી તે વધારે હેલ્ધી બને.
ચણાના લોટનો હવલો:
- બેસનનો હલવો પણ વજન ઉતારવામાં મદદરૂપ થશે, પરંતુ યાદ રાખો કે આ હલવો બનાવવા માટે દેસી ઘીનો ઉપયોગ કરો. દેસી ઘી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. ઘીમાં બેસનને સારી રીતે સાંતળીને તેમાં દૂધ અને થોડી ખાંડ નાખીને હલવો બનાવી લો. જો તમે વધારે હેલ્થ કોન્શસ છો તો ખાંડની જગ્યાએ શુગર ફ્રી પણ નાખી શકો છો.