નવરાત્રિ માં ગરબા રમવા એ ગુજરાતમાં એક પરંપરા છે ત્યારે બીજા રાજ્યોમાં આ એક ફેશન બની ગયુ છે. આથી જ આજે દેશ-વિદેશમાં નવરાત્રિનું વિશેષ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કેટલાક કલાકો સતત ગરબા કરવાથી ખલૈયાઓના એનર્જી લેવલ પર ઘણી અસર પડતી હોય છે. એવામાં જરૂરી છે કે, તમે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. જેથી કરીને તમારો સ્ટેમિના બની રહે.
નવરાત્રિમાં ગરબા રમવાની સાથે ફોલો કરો આ ટિપ્સ
સિમ્પલ ડાયેટ પ્લાન જે તમને આપશે એનર્જી
જાણી લો શું અને ક્યારે ખાશો તો રહેશો ફિટ
મોડી રાત સુધી ચાલતા ગરબામાં સ્ટેમિના જાણવી રાખવા માટે, દરેક ખેલૈયાએ આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. જો તમે રાતે મોડા ઉંઘી રહ્યા છો તો, દિવસે ઉંઘ પૂરી કરો. આ સિવાય પણ કેટલીક ટિપ્સ આજે અમે તમને અહીં આપી રહ્યા છીએ.
1. ગરબા રમવા દરમિયાન પરસેવો વધારે આવે છે. આથી દિવસ દરમિયાન 12 થી 15 ગ્લાસ પાણી જરૂરીથી પીવો.
2. જો તમે રોજ ગરબા રમવા જઈ રહ્યા છો તો, તમારા ભોજનમાંથી 300 થી 400 કેલેરી મળે તે રીતે ડાયેટ પ્લાન કરો.
4. સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે એવા ફળોનું સેવન કરો જેમાં કેલેરી વધારે હોય.
5. બપોરના ભોજનમાં 2 રોટલી, શાક, દહીં, સલાડ જેવું તમે લઈ શકો છો. સંધ્યા ટાણે મિલ્ક શેક, જ્યૂસ અથવા તો નારિયેળ પાણી લઈ શકો છો.
6. ગરબા રમવા જાવ તેના 2 થી 3 કલાક પહેલા બાફેલા બટાટા, સાબુદાણની ખીચડી, રોસ્ટેડ સિંગદાણા અથવા તો ફળોનું સેવન તમે કરી શકો છો.
7. ગરબા રમતા હોવ ત્યારે પણ દર અડધા કલાકે તમે લીંબુ પાણી અથવા તો ગ્લુકોઝ પાણી પીતા રહો. જેના લીધે તમને નબળાઈનો અનુભવ નહીં લાગે.
8. ગરબા રમીને આવ્યા બાદ, ગરમ પાણીથી ચોક્કસ પગ ધોવો. જો વધારે પરસેવો વધારે થયો હોય તો, ગરમ પાણીથી સ્નાન પણ તમે કરી શકો છો. ગરમ પાણીના કારણે શરીરને થોડો આરામ લાગશે.
9. રાતે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પણ ચોક્કસથી પીવો.
10. નવરાત્રિ દરમિયાન તળેલી વાનગી, જંક ફૂડ તેમ બજારમાં મળતા લારી ફૂડને બને તેટલા અવગણો.