રાજ્યમાં ભર શિયાળે કેટલાક જિલ્લાઓમાં માવઠાથી જગતના તાતની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ થતા ઘઉં, બટાટા, રાયડો, જીરું, રાજગરાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યશહેરોમાં આજરોજ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં અમદાવાદ, અમરેલી, જૂનાગઢમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જૂનાગઢના વાતાવરણમાં પલટો, વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા
રાજુલા-સાવરકુંડલા હાઈવે પર ધુમ્મસ, વાહનચાલકોને હાલાકી
અમદાવાદના વાતાવરણમાં એક પલટો, વિઝીબલિટીથી વાહન ચાલકોને થઇ પરેશાની
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. આજે વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં ધુમ્મસ ભરૂ વાતાવરણ છવાઈ જતા વાહનચાલકો પરેસાન થઈ રહ્યાં છે. રોડ પરથી પસાર થતી વખતે વાહન ચાલકો લાઈટ ચાલુ રાખીને પસાર થઈ રહ્યાં છે.
બીજી બાજુ બોટાદ જિલ્લામાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વાહન ચાલકોની મુ્શ્કેલીમાં વધારો થયો છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવામાં ભારે હાલાકી થઈ રહી છે.તો બીજી બાજુ અચાનક વાતાવરણાં પલ્ટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણના કારણે જીરાના પાકને ભારે નુંકસાન થઈ શકે છે.
જો કે આજરોજ વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વિઝીબલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
જૂનાગઢમાં આજે વહેલી સવારથી સમગ્ર પંથકમાં વાદળ છાયું વાતાવરણ છવાયું છે. અચાનકથી વાતાવરણમાં પલટો આવતા વરસાદના ઝાપટા પડયા છે. વધુ એકવાર કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળું અને ચોમાસું બંને પાક બગડ્યા બાદ હવે આ કમોસમી વરસાદ શિયાળું પાક પણ બગાડે તેવું લાગી રહ્યું છે. ઘઉં, જીરૂ સહિતના પાકને આ વરસાદથી ભારે નુકસાન થઈ શકે છે.જેને લઈન ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.