આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ ગુજરાતના અમદાવાદના એક દિવસના પ્રવાસે છે. તેમણે આજે ઇન્કમટેક્ષના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. આ ઉપરાંત ભાજપ સંગઠન પર્વના કાર્યક્રમમાં નિર્મલા સિતારમણ હાજરી આપી હતી. તો પાટીદાર યુવતીઓને પણ સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સીતારમને પ્રદેશ ભાજપ સંગઠન પર્વ કાર્યકામમાં હાજરી આપી હતી. જેમાં સૌરાષ્ટ્ર પટેલ કેળવણી કન્યા છાત્રાલય ખાતે સદસ્યતા અભિયાનમાં હાજરી આપી હતી. સાથે ભાજપમાં મહિલા સશક્તિકરણ વાત કરી હતી અને મહિલાઓ ભાજપમાં જોડવા માટે આહ્વાન કર્યું હતું.
ત્યારે ભાજપના જોડાયેલા વિધાર્થીઓ ખેસ પહેરીને નિર્મલા સીતારામને આવકારતા જણાવ્યું હતું કે 370 કલમ હટાવવાનું શ્રેય ભાજપને જાય છે. 370 કલમ કારણે કાશ્મીરનાં યુવાનો વિકાસ અટક્યો હતો. 370 કલમ કારણે કાશ્મીર વિકાસ રૂંધાયો હતો. પરંતુ અમે 50 વર્ષથી મેનીફેસ્ટૉમાં 370 કલમ હટાવાનું કહ્યું હતું, જે અમારી સરકારે કરી બતાવ્યું છે.
હવે જમ્મુ કાશ્મીર 370 કલમ કારણે પંજાબમાંથી કાશ્મીરમાં વસેલા SC સમુદાયને અનામત લાભ મળતો નહોતો. જે હવે SC અને ST સમુદાય અનામત લાભ મળતો થશે. મહિલા આયોગ કાશ્મીરમાં કાર્ય કરી શકતુ ન હતું, તે સક્રિય બનીને મહિલા વિકાસ માટે આગળ આવશે. મહત્વનું છે કે, આ અગાઉ તેમણે ઇન્કમટેક્ષના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી
FM Sitharaman addressing tax officials in Ahmedabad: It is important to have dialogue between Ministry of Finance and tax offcials. Tax administrators have very delicate role to perform. India's tax administration needs a mindset change to cater to an aware and informed citizenry pic.twitter.com/uZmZ7ybfSp