નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ નોંધાયા વિનાના પ્રધાનમંત્રી રાહત કોષ પર જવાબ આપી શકશે નહીં, તો પછી તેને પીએમ કેર ફંડ્સ પર પ્રશ્ન કરવાનો પણ કોઈ અધિકાર નથી. તેઓએ લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પર નાણાંકીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરને હિમાચલના.. કહેવા માટે પણ વળતા પ્રહાર કર્યા અને કહ્યું કે પોતાના શબ્દોને હટાવવા માટે સરળતાથી આગ્રહ કરવો જોઈએ.
નાણાંમંત્રીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
પીએમ કેર ફંડ્સના પ્રશ્નોને લઈને કરી સ્પષ્ટતા
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પર સાધ્યું નિશાન
પીએમ કેર ફંડ્સના પ્રશ્નોને લઈને કરી સ્પષ્ટતા
સીતારમણે કહ્યું કે કોરોના સંકટના કારણે અમારે અધ્યાદેશ લાવવો પડ્યો. કોરોના સમયે ટેક્સ ફાઈલિંગ કરવાનું મુશ્કેલ હતું. કાયદાકીય જરૂરિયાત હતી, જનતાને તરત રાહત આપવાની હતી. એવામાં અધ્યાદેશ આવ્યો. તેઓએ કહ્યું કે અધ્યાદેશ લાવવામાં આવ્યો જેથી કર જમા કરવામાં મોડું કરનારા પર દંડ ન લાગે. કેમકે પહેલાના અધિનિયમમાં દંડની વ્યવસ્થા હતી.
PMNRF is an unregistered trust and till today you didn't bother to ask for it to be registered: Smt @nsitharaman in her reply to the debate on the Taxation and Other Laws (Relaxation and Amendment of Certain Provisions) Bill, 2020 in Lok Sabha. pic.twitter.com/MbpECLOOud
સીતારમણે કહ્યું કે રાજસ્વ સેલાના અધિકારી જીવ જોખમમાં મૂકીને કામ કરે છે અને સાથે કોઈ એર કેસને લઈને પણ દરેકના માટે એક નિયમ બનાવી શકાય નહીં. તેઓએ કહ્યું કે સરકારની કોશિશ છે કે ટેક્સ પ્રણાલીમાં પારદર્શિતા નક્કી કરાય. નાણામંત્રીએ કહ્યું કે આ મિસ અંડરસ્ટેન્ડિંગ છે કે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંક ચીની છે. તેમાં અમારી હિસ્સેદારી છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પર સાધ્યું નિશાન
સીતારમણે કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીની તરફથી અનુરાગ ઠાકુરને પર સાધેલા નિશાનને લઈને પલટ વાર કરતાં કહ્યું કે અનુરાગ ઠાકુર યુવાન દેખાય છે પરંતુ તેઓ અનુભવી સાંસદ છે. તેઓએ અહીં સુધી પહોંચવા ઘણી મહેનત કરી છે. તે સાંસદ અને મંત્રી છે. તેઓને એક શબ્દ કહીને નાના ન સમજો. તેઓએ કહ્યું કે તમારે તમારા શબ્દો હટાવવા માટે જગ્યાએથી અનુરોધ કરવો જોઈએ. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે પારદર્શિતા પોતાના ઘરથી શરૂ કરવી અને પરમાર્થ સંગઠનોમાં પારદર્શિતા લાવવી. જો તમે અનુરાગ ઠાકુરના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી તો તમને પીએમ કેરને લઈને પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર નથી.