નાણામંત્રી નિર્મલા સીતરમણ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજથી જોડાયેલ પાંચમા અને અંતિમ તબક્કાની જાહેરાત કરી રહ્યા છે. નાણા મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી. મહત્વનું છે કે નાણામંત્રી બુધવારથી સતત પ્રેસ કોન્ફરન્સ કરીને 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજથી જોડાયેલ માહિતી આપી રહ્યા છે.
નિર્મલા સીતારમણની પાંચમાં અને અંતિમ રાહત પેકેજ અંગે પ્રેસ કોન્ફરન્સ
બુધવારથી નાણામંત્રી 20 લાખ કરોડના પેકેજની આપી રહ્યા છે જાણકારી
શનિવારે 8 સેક્ટરમાં સુધારાની જાહેરાત કરી હતી
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે પાંચમાં અને અંતિમ તબક્કાના પેકેજ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, દેશ આજે સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ગરીબોને તરત મદદ મળી રહી છે. પીએમએ કહ્યું હતું આફતને અવસરમાં બદલવી જોઇએ અને જાન હે તો જહાન હે. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. મહત્વનું છે કે, આજે રોજગાર, હેલ્થ અને શિક્ષાને લઇને એલાન કરવામાં આવી રહ્યું છે.
નાણામંત્રીના 5માં અને અંતિમ પેકેજની LIVE અપડેટ્સ
મનરેગા
મનરેગા માટે બજેટની ફાળવણીમાં 40,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવશે. જેમાં ગામડાઓમાં પરત ફરી રહેલા પ્રવાસી મજૂરોને વધુ કામ મળશે. જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે.
હેલ્થ
નાણામંત્રીએ જણાવ્યું કે હેલ્થ વર્કર્સ માટે 50 લાખના વીમાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને સુરક્ષા આપવા માટે મહામારી એક્ટમાં ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના કાળમાં શિક્ષા માટે ટેક્નિકલ ઉપયોગ વધ્યો છે. એર એજ્યુકેશનલ વીડિયો કન્ટેન્ટ વધ્યા છે.
સરકારે જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચ વધારવાની જાહેરાત કરી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વાસ્થ્ય અને વેલનેસ સેન્ટર્સની સંખ્યા વધારવામાં આવશે. જિલ્લા સ્તરે તમામ હોસ્પિટલોમાં સંક્રમણ બીમારીઓ માટે અલગથી બ્લૉક બનાવવામાં આવશે. લેબ નેટવર્કને વધુ સારૂ બનાવવામાં આવશે. મહામારી સામે લડવા માટે જિલ્લા અને બ્લોક સ્ટેશન પર ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવશે.
એજ્યુકેશન
નિર્મલા સીતારમણે જણાવ્યું કે, જરૂરિયાતમંદ વિદ્યાર્થી જેની પાસે ઇન્ટરનેટ નથી તેઓ સ્વંય પ્રભા ડીટીએચ સેવાથી ભણી શકે છે. જોકે આવી ત્રણ ચેનલ, જેમાં 12 નવી ચેનલ જોડાશે. આ સિવાય દીક્ષા દ્વારા ઈ-કૉન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મનો દર્પણ નામથી એક કાર્યક્રમ ચલાવવામાં આવશે. ત્યારે વન ક્લાસ, વન ચેનલ હેઠળ 1થી 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવાનો નવો રસ્તો આપવામાં આવશે. રેડિયો, કોમ્યૂનિટી રેડિયથી પણ ભણવા માટે મદદ લેવામાં આવશે. દિવ્યાંગો માટે વિશેષ શિક્ષા સામગ્રી તૈયાર કરવામાં આવશે. 100 ટૉપ યુનિવર્સિટીઓને ઓનલાઇન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.
કંપની એક્ટ અને પીએસયૂ
કંપની એક્ટના વધુ પડતી જોગવાઈઓમાં રાહત આપવામાં આવશે. એક વર્ષ સુધી દેવાળિયા(ડિફોલ્ડર્સ) જાહેર કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવશે. એટલે કે લેણુ ભરપાઇ કરવામાં ચૂકને એક વર્ષ સુધી ઇન્સૉલ્વેન્સીમાં સામેલ નહીં કરવામાં આવે. નાના ઉદ્યોગોના દેવાળીયા હોવાની મર્યાદાને એક લાખથી વધારીને એક કરોડ કરી દેવામાં આવશે.
CSR બોર્ડ રિપોર્ટમાં અછત, ફાઇલિંગમાં ચૂકને ગૂનાની યાદીમાંથી હટાવવામાં આવશે. સરકાર એવી નવી નીતિઓ લાવશે જેવામાં એ નક્કી થશે કે કોણ રણનીતિક સેક્ટરમાં કઇ પબ્લિક સેક્ટર કંપની રહેશે અને ખાનગી કંપનીઓ પણ રહેશે, કેટલાક એવા સેક્ટર હશે જેમાં માત્ર 4 પબ્લિક સેક્ટર કંપનીઓ રહેવાની મંજૂરી મળશે. કંપનીઓને પોતાની સિક્યુરિટીઝને સીધા વિદેશી એક્સચેન્જોમાં લિસ્ટિંગની સુવિધા આપવામાં આવશે.
રાજ્યોને મદદ
નિર્મલા સીતારમણે કહ્યું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) દ્વારા રાજ્યોને એપ્રિલમાં જ 11 હજાર કરોડથી વધુ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે રાજ્યોના લેણાની મર્યાદા 60 ટકા વધારી દીધી. રાજ્યોને પોતાની ઉધારીની મર્યાદાના 14 ટકા જ લીધા છે. એન્ટી કોવિડ એક્ટિવિટી માટે હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા 4113 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, રાજ્યના કુલ ઘરેલૂ ઉત્પાદનને 3થી વધારીને 5 ટકા કરી દેવામાં આવી છે.
30 કરોડ લોકોના ખાતમાં પૈસા જમા કરાવ્યા
આર્થિક પેકેજ લેન્ડ, લેબર, લિક્વિડિટી, લૉ જેવી વસ્તુઓ પર આધારિત
સીતારમણે કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આર્થિક પેકેજ લેન્ડ, લેબર, લિક્વિડિટી, લૉ જેવી વસ્તુઓ પર ભાર મુકવામાં આવ્યું છે, જેમ કે પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
નાણામંત્રીએ કહ્યું કે, ગરીબોને તરત મદદ મળી રહી છે. લોકડાઉનની સાથે જ ગરીબો માટે જાહેરાત કરાઇ. 16364 કરોડની સહાય સીધી ગરીબોના ખાતમાં જમા થઇ ગઇ. અમે પ્રવાસી શ્રમિકોની વેદના જાણી.
ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા કરાયા
નાણામંત્રીએ કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કેશ કરવામાં આવ્યા. આ હેઠળ 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે.
20 કરોડ જનધન ખાતામાં 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા
નાણામંત્રીએ કહ્યું કે, દેશના 20 કરોડ જન-ધન ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા. ઉજ્વલ્લા યોજના હેઠળ 6.81 કરોડ રાંધણ ગેસ ધારકોને મફત સિલિન્ડર આપવામાં આવ્યા.
DBT દ્વારા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો. 8 કરોડ પ્રવાસી શ્રમિકો માટે 35 કરોડ ભોજન-અન્ન માટે અલગથી ખર્ચ કરવામાં આવ્યો છે. 86000 કરોડ માટે લોક ખેડૂતોને આપવામાં આવી છે.
ટેસ્ટિંગ લેબ્સ અને કિટ્સ માટે 550 કરોડ રૂપિયાની જોગવાઈ
નાણામંત્રીએ જણાવ્યું કે, જરૂરી વસ્તુઓ માટે 3,750 કરોડ રૂપિયાનું જોગવાઈ કરવામાં આવી છે. ટેસ્ટિંગ લેબ્સ અને કિટ્સ માટે 550 કરોડ રૂપિયાની જોગવાઈ કેન્દ્ર સરકાર કરી ચૂકી છે.
કોવિડ 19 માટે 15000 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી
નાણામંત્રીએ કહ્યું કે સરકારે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે કેટલાક પ્રકારના ઉપાય કર્યા છે. કોવિડ 19 માટે 15000 કરોડ રૂપિયાની જાહેરાત સરકારે કરી હતી. જેમાં 4,113 કરોડ રૂપિયા રાજ્યોને રિલીઝ કરાઇ ચૂક્યા છે.
શનિવારે શું થયું હતું એલાન?
નાણામંત્રીએ શનિવારે કુલ 8 સેક્ટરમાં સુધારાનું આજે એલાન કર્યું હતું. જેમાં કોલસો, મિનરલ, ડિફેન્સ પ્રોડક્શન, સિવિલ એવિએશન, પાવર ડિસ્ટ્રિબ્યૂશન, સોશિયલ ઇન્ફ્રા પ્રોજેક્ટ, સ્પેસ, એટૉમિક એનર્જી. નાણામંત્રીએ કહ્યું હતું કે, સામાજિક પાયાના કામમાં ખાનગી ક્ષેત્રના રોકાવણને વધારવા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 30 ટકા કેન્દ્ર અને 30 ટકા રાજ્યસરકારો વાયબિલિટ ગેપ ફંડિંગના રૂપમાં આપશે. બાકી સેક્ટર માટે 20 ટકા જ છે.
શુક્રવારે શું મળ્યું?
નિર્મળા સીતારણની શુક્રવારની પ્રેસ કોન્ફરન્સ સમગ્ર રીતે ખેડૂતોને કેન્દ્રીત હતી. આ દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે 11 જાહેરાત કરવામાં આવી. જેમાં 8 નિર્ણય કૃષિ અને ઇન્ફ્રાથી જોડાયેલા હતા જ્યારે 3 નિર્ણય ગવર્નેન્સ અને રિફોર્નના છે. સરકારે કૃષિના પાયાના કામ માટે એક લાખ કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. આ દરમિયાન એક મહત્વનો નિર્ણય જરૂરી વસ્તુ કાયદા 1955માં ફેરફારને લઇને લેવામાં આવ્યો. આ કાયદાથી અનાજ, તલ, ડૂંગળી, બટાકા અન્યને મુક્ત કરવામાં આવશે.
ગુરૂવારે શું મળ્યું?
ગુરૂવારની પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે પાટરી-શેરીના વેપારી, નાના ખેડૂત, પ્રવાસી મજૂરોથી જોડાયેલ 9 મોટા એલાન કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 50 લાખ પટરી-રેકડી વેપારીઓ માટે 10 હજાર રૂપિયાની વિશેષ લોન આપવામાં આવશે. આ પ્રકારે, શિશુ લોન પર છૂટ, ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમની ડેડલાઇન વધારવામાં આવી છે.
આ સિવાય શહેરી બેઘરો માટે સસ્તા ઘર, ભાડે ઘર, ત્રણ ટાઇમનું ભોજન, ખેડૂત ક્રેડિટ કાર્ડ, જેવા મોટા એલાન કરવામાં આવ્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણના ઝણાવ્યા અનુસાર 2.5 કરોડ ખેડૂતોના ક્રેડિટ કાર્ડ પર 2 લાખ કરોડ રૂપિયા સુધીની લોન મળશે. આ સિવાય માર્ચ 2021 સુધી વન નેશન, વન કાર્ડ યોજનાને દેશભરમાં લાગૂ કરવામાં આવશે.
બુધવારે શું થયું હતું એલાન?
બુધવારે અંદાજિત 6 લાખ કરોડના પેકેજનું એલાન થયું. આ પેકેજમાં એક મોટો ભાગ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ વેપારી(MSME)ને આપવામાં આવ્યો છે. ત્યારે સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ વેપારીઓની પરિભાષામાં પણ ફેરફાર કર્યો છે. નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, MFIને 30 હજાર કરોડની રકમ સુવિધા આપવામાં આવી છે. આ પ્રકારે વીજળી વિતરણ કંપનીઓ પર 94 હજાર કરોડ રૂપિયાનું લેણું છે અને તેને 90 હજાર કરોડનું બેલ આઉટ આપવામાં આવ્યું છે.