નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે જણાવવા માટે યોજવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પ્રધાનમંત્રી મોદી તરફથી જાહેર કરવામાં આવેલ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનો આ ચોથો તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, નાણામંત્રીએ અગાઉ બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે કેટલાક એલાન કર્યા હતા.
સતત ચોથા દિવસે નિર્મલા સીતારમણે કરી પ્રેસ કોન્ફરન્સ
બુધવારથી નાણામંત્રી 20 લાખ કરોડના પેકેજની આપી રહ્યા છે જાણકારી
શુક્રવારે પશુપાલન માટે 15000 કરોડ રૂપિયાનું એલાન કર્યું હતું
8 સેક્ટરમાં સુધારાનું આજે એલાન
નાણામંત્રીએ કુલ 8 સેક્ટરમાં સુધારાનું આજે એલાન કર્યું છે. જેમાં કોલસો, મિનરલ, ડિફેન્સ પ્રોડક્શન, સિવિલ એવિએશન, પાવર ડિસ્ટ્રિબ્યૂશન, સોશિયલ ઇન્ફ્રા પ્રોજેક્ટ, સ્પેસ, એટૉમિક એનર્જી. નાણામંત્રીએ કહ્યું કે, સામાજિક પાયાના કામમાં ખાનગી ક્ષેત્રના રોકાવણને વધારવા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 30 ટકા કેન્દ્ર અને 30 ટકા રાજ્યસરકારો વાયબિલિટ ગેપ ફંડિંગના રૂપમાં આપશે. બાકી સેક્ટર માટે 20 ટકા જ છે.
1. કોલ સેક્ટર
કોમર્શિયલ માઈનીંગને છૂટ અપાશે. વધુ પ્રમાણમાં કોલસાનું ઉત્પાદન થશે. કોલસાના ભાવમાં સ્પર્ધાત્મકતા ઉમેરાશે. કોલસાના ખનનના 50 નવા બ્લોકસ ઉમેરાશે. 50000 કરોડનો ખર્ચ ભારત સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં કોલસાનું વાયુ અથવા પ્રવાહી બળતણમાં ફેરવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
2. મિનરલ સેક્ટર
નાણામંત્રીએ કહ્યું કે, મિનરલ્સમાં સુધારા સંશોધનને લઇને ઉત્પાદન સુધી અવિરત પ્રક્રિયા, જોઈન્ટ ઑક્શન હશે, આ સિવાય કેપ્ટિવ અને નૉન કેપ્ટિવ માઇન્સની પરિભાષા બદલાશે. એક મિનરલ ઇન્ડેક્સ બનશે. 500 માઇનિંગ બ્લૉકની હરાજી થશે.
4. ડિફેન્સ સેક્ટર
નિર્મલા સીતારમણે કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના ધ્યેયને ધ્યાનમાં રાખીને સંરક્ષણના સાધનો ભારતમાં જ બનાવવાની યોજના. સરકાર એવા હથિયાર, વસ્તુઓ, સ્પેયર્સને નોટિફાઈ કરશે જેમાં આયાત પર પ્રતિબંધ કરવામાં આવશે અને તેની સ્વદેશી વસ્તુ પૂરી પાડવામાં આવશે. ડિફેન્સના મેન્યુફેકચરિંગની FDI વધારીને 49% થી વધારીને 74% કરવામાં આવી. સંરક્ષણ સાધનો ઉત્પાદન સંસાધનોને કોર્પોરેટાઈઝ કરાશે. ભવિષ્યમાં આ સંસ્થાનો સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું. આ પ્રોજેક્ટ્સને પાર પાડવા માટે સંરક્ષણ સાધનોના ઉત્પાદનનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવામાં આવશે.
5. એવિએશન(ઉડ્ડયન) સેક્ટર
એવિએશન (ઉડ્ડયન) એરસ્પેસને સારી રીતે યુટિલાઈઝ કરવામાં આવશે. એવિએશન (ઉડ્ડયન) એરસ્પેસને સારી રીતે યુટિલાઈઝ કરવામાં આવશે. અત્યારે ફક્ત 60% એરસ્પેસ ભારતમાં ઉપલબ્ધ છે. એરસ્પેસ વધવાથી પર્યાવરણની દ્રષ્ટિએ ફાયદો થશે અને યાત્રાનો સમય ઘટશે અને એવિએશન સેક્ટરને 1000 કરોડનો ફાયદો થશે. આ ઉપરાંત એવિએશન વિભાગ PPE એટલે કે પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપ ઉપર વધુ ભાર મુકશે.
એરક્રાફ્ટના રીપેરિંગનું કેન્દ્ર ભારતને બનાવવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. આ માટેના ટેક્સ માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વૈશ્વિક રીતે એક ખૂબ મોટો બિઝનેસ છે. ફક્ત મુસાફર પ્લેન નહીં સંરક્ષણ પ્લેનને પણ ફાયદો થશે અને ખર્ચ ઘટવાથી મુસાફરોની ટિકિટના ભાવો ઘટી શકે છે.
નાણામંત્રીએ કહ્યું કે, 6 એરપોર્ટ્સની હરાજી થશે. એરપોર્ટ ઓથૉરિટી ઓફ ઇન્ડિયા આ કામ કરશે. સમયની કિંમત છે અને સમય બચાવવા માટે કામ કરવું પડશે. ભારતીય પબ્લિક પ્લેનને લાંબા રસ્તા લેવા પડે છે. આને સરળ બનાવવામાં આવશે. બે મહિનાની અંદર આ કામ કરવામાં આવશે. આનાથી ઉડ્યન ક્ષેત્રને 1 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે. એર ફ્યૂલ પણ બચશે અને પર્યાવરણ પણ બચશે.
સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ વધારવાની યોજના. આ માટે હોસ્પિટલના નિર્માણમાં 30% કેન્દ્ર અને 30% રાજ્ય સરકાર વાયેબીલીટી ગેપ ફંડીગમાં રોકાણ કરશે. કુલ સરકાર આ ક્ષેત્રે 8100 કરોડનો ખર્ચ કરશે.
ખાનગી ક્ષેત્રો ISROની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. આ માટે રેગ્યુલેટરી પોલીસી બનાવવામાં આવશે. ખાનગી કંપનીઓને સાવચેતીપૂર્વક જરૂરિયાત પ્રમાણેનો સંવેદનશીલ એવો જીઓ સેન્સિંગ ડેટા શેર કરવામાં આવશે. ખાનગી કંપનીઓ ભવિષ્યમાં ઈસરોની જેમ અવકાશ યાત્રા કરી શકે તે માટે પ્રોત્સાહન અપાશે.
8. પરમાણુ ઉર્જા: PPE એટલે કે પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપથી
1) મેડિકલ આઈસોટોપનું ઉત્પાદન અને રીસર્ચ કરવામાં આવશે જેથી કેન્સર જેવા રોગોને નાથી શકાય.
2) ફૂડ પ્રિઝર્વેશનમાં રેડિએશન ટેકનોલોજીનું રીસર્ચ અને ઉપયોગ કરવામાં આવશે.
દેશમાં ચાલી રહેલા આ ક્ષેત્રના ખાનગી સ્ટાર્ટઅપ્સને રિસર્ચ સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજળી કંપનીઓનું ખાનગીકરણ
નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજળી કંપનીઓનું ખાનગીકરણ થશે. તેનાથી વીજ ઉત્પાદન વધશે.
ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું રેંકિંગ
નાણામંત્રીએ કહ્યું કે, ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે લેન્ડ બેંક, ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે. હવે ટેક્નોલોજીનો ઉપોયગ કરતા GIS મેપિંગ દ્વારા 5 લાખ હેક્ટર જમીન ભવિષ્યના ઉપયોગ માટે તમામ ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું રેન્કિંગ હશે.
આજનું પેકેજ સંરચનાત્મક સુધારાઓ પર આધારિત
નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આજનું પેકેજ સંરચનાત્મક સુધારાઓ પર આધારિત. નિર્મલા સીતારમણે DBT, GST, IBC, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, પબ્લિક સેક્ટર બેંકોના સુધાર, ડાયરેક્ટ ટેક્સમાં સુધાર, પાવર સેક્ટરમાં સુધાર, સિંચાઈ, કોલ સેક્ટર જેવી ઉપલબ્ધીઓની યાદ અપાવી પૉલિસી સુધાર ફાસ્ટ ટ્રેક ઇન્વેસ્ટમેન્ટ માટે મેક ઇન ઇન્ડિયાના લોકોના વિચારને બદલ્યો છે. આ આત્મનિર્ભર ભારતનો પાયો બન્યો છે.
આપણે રોકાણ લાવીને રોજગારી પણ વધારવાની છે
નાણામંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર બનાવ માટે ઘણા પડકારોનો સામનો કરવો પડશે, ભારતને સમસ્યાઓ સામે ટકી રહેવા માટે મજબૂતી જરૂરી છે. ઘણા સેક્ટરમાં સરકારના વિવિધ આયોજનો છે. પીએમ મોદી ગંભીર સુધારાઓના સમર્થનમાં છે. રોકાણમાં સુધાર માટે અનેક પગલાઓ લેવાયા છે. પ્રધાનમંત્રીના પ્રયાસથી ઘણા સુધારા થયા. દેશના કેટલાક સેક્ટરોમાં સમસ્યાનું સમધાન જરૂરી છે. રોકાણ કરવા માટે દુનિયાભરમાં ભારત પહેલી પસંદ છે. રોકાણકારો માટે ભારતને વધારે આકર્ષણ બનાવવાની જરૂર છે. આપણે રોકાણ લાવીને રોજગારી પણ વધારવાની છે. આપણે ઉત્પાદનોની વિશ્વસનીયતા પણ વધારવી પડશે અને આપણે હરિફાઇ માટે તૈયાર રહેવું પડશે.
શુક્રવારે શું મળ્યું?
નિર્મળા સીતારણની આ પ્રેસ કોન્ફરન્સ સમગ્ર રીતે ખેડૂતોને કેન્દ્રીત હતી. આ દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે 11 જાહેરાત કરવામાં આવી. જેમાં 8 નિર્ણય કૃષિ અને ઇન્ફ્રાથી જોડાયેલા હતા જ્યારે 3 નિર્ણય ગવર્નેન્સ અને રિફોર્નના છે. સરકારે કૃષિના પાયાના કામ માટે એક લાખ કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. આ દરમિયાન એક મહત્વનો નિર્ણય જરૂરી વસ્તુ કાયદા 1955માં ફેરફારને લઇને લેવામાં આવ્યો. આ કાયદાથી અનાજ, તલ, ડૂંગળી, બટાકા અન્યને મુક્ત કરવામાં આવશે.
ગુરૂવારે શું મળ્યું?
ગુરૂવારની પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે પાટરી-શેરીના વેપારી, નાના ખેડૂત, પ્રવાસી મજૂરોથી જોડાયેલ 9 મોટા એલાન કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 50 લાખ પટરી-રેકડી વેપારીઓ માટે 10 હજાર રૂપિયાની વિશેષ લોન આપવામાં આવશે. આ પ્રકારે, શિશુ લોન પર છૂટ, ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમની ડેડલાઇન વધારવામાં આવી છે.
આ સિવાય શહેરી બેઘરો માટે સસ્તા ઘર, ભાડે ઘર, ત્રણ ટાઇમનું ભોજન, ખેડૂત ક્રેડિટ કાર્ડ, જેવા મોટા એલાન કરવામાં આવ્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણના ઝણાવ્યા અનુસાર 2.5 કરોડ ખેડૂતોના ક્રેડિટ કાર્ડ પર 2 લાખ કરોડ રૂપિયા સુધીની લોન મળશે. આ સિવાય માર્ચ 2021 સુધી વન નેશન, વન કાર્ડ યોજનાને દેશભરમાં લાગૂ કરવામાં આવશે.
બુધવારે શું થયું હતું એલાન?
બુધવારે અંદાજિત 6 લાખ કરોડના પેકેજનું એલાન થયું. આ પેકેજમાં એક મોટો ભાગ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ વેપારી(MSME)ને આપવામાં આવ્યો છે. ત્યારે સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ વેપારીઓની પરિભાષામાં પણ ફેરફાર કર્યો છે. નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, MFIને 30 હજાર કરોડની રકમ સુવિધા આપવામાં આવી છે. આ પ્રકારે વીજળી વિતરણ કંપનીઓ પર 94 હજાર કરોડ રૂપિયાનું લેણું છે અને તેને 90 હજાર કરોડનું બેલ આઉટ આપવામાં આવ્યું છે.