મોદી સરકારે નેશનલ એસેટ રિકન્ટ્રક્શન કંપની લિમિટેડડ એટલે બેડ બેન્ક દ્વારા જારી સિક્યુરીટી રિસીટ્સ માટે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી છે.
બેડ બેન્કોને મોટી રાહત આપી મોદી સરકારે
નાણા મંત્રી નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી
બેડ બેન્કો માટે 30,600 કરોડની ગેરન્ટીની જાહેરાત
Along with National Asset Reconstruction Company Ltd, we are also setting up an India Debt Resolution Company Limited. PSBs will have 51% ownership in NARCL, while PSBs and public financial institutions will have a maximum of 49% stake: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/otTek4zYJu
નાણા મંત્રી સીતારામણે 2021-22 ના બજેટમાં NARCLની રચના કરવાની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીએ કહ્યું કે અમે ઈન્ડીયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની રચના કરી રહ્યાં છે. ઈન્ડીયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડમાં પીએસબીની 49 ટકા તો બાકીની 51 ટકા હિસ્સેદારી ખાનગી પ્લેયર્સની રહેશે.
નાણા મંત્રીએ કહ્યું કે સરકારે ઝડપી નિકાલ માટે 6 નવા ડીઆરટીની રચના કરી દીધી છે.
બેન્કોને ઉગારવા સરકારનો પ્લાન
2018-19 માં રુ.1.05 લાખ કરોડ
2019-20 માં રુ.70,000 કરોડ
2020-21 માં રુ.20,000 કરોડ
2021-22 માં 20,000 કરોડ
બેડ બેંકો મુદ્દે આપી માહિતી The Union Cabinet yesterday approved Central Government guarantee up to Rs 30,600 crores to back Security Receipts to be issued by National Asset Reconstruction Company Limited: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/Sw12kZ7QaV
પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીએ બેડ બેંકોને લઈને કેબિનેટમાં જે પણ નિર્ણયો લેવાયા તેની માહિતી આપી હતી. ભારતીય બેંક સંઘે સરકારની ગેરંટી લગભગ 31 હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું છે. સાથેજ IBAને ખરાબ બેંક મુદ્દે રિપોર્ટ સોંપવાનું પણ જણાવાયું છે. હાલ બેડ બેંકને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એક્સપર્ટસનું કહેવું છે કે બેડ બેંક કોઈ બેક નથી પરંતુ આ એક અસેટ રિકંન્સટ્રકશન કંપની છે જે બેંકના દેવાને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરશે. આવું કરવાથી બેંકો સરળતાથી અન્ય લોકોને લોન આપી શકશે.