31 ડિસેમ્બરથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો તા. 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાવાનો છે.
31મી ડિસેમ્બરે શરૂ થશે ફ્લાવર શૉ
રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે શૉ
15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શૉ
31 ડિસેમ્બરથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો તા. 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાવાનો છે. AMC દ્વારા રિવરફ્રન્ટની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે.
રિવરફ્રન્ટ ખાતે યોજાશે ફ્લાવર-શૉ
ડિસેમ્બરના અંતિમ સપ્તામાં અમદાવદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાતો હોય છે. જેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો યોજવામાં આવે છે. જેમાં લાખો લોકો રિવરફ્રંટ પર ફ્લાવર શો જોવા ઉમટતા હોય છે. ફલાવર શો ની ઉજવણીના ભાગરૂપે ફૂલોનું વાવેતર શરૂ કરવામાં આવ્યુ છે.
31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થનાર છે. ત્યારે AMC દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવમાં આવ્યો છે. AMC દ્વારા 2.5 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. બે વર્ષ બાદ ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર
હાલમાં અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે. ત્યારે કોરોનાને લઈને એએમસી દ્વારા તેની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. દર વર્ષે કાંકરિયા કાર્નિવલ 7 થી 10 વાગ્યા સુધી ચાલતો હતો. જેના સમયમાં ફેરફાર કરીને સાંજે 6 થી 9 કરવામાં આવ્યો છે.