કોરોના વાયરસનાને ફાલતો અટકાવવા દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકડાઉન તોડવાની અનેક ઘટનાઓ સામે આવી છે. શુક્રવારે લોકડાઉન તોડીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરીને કેટલાય લોકો પશ્ચિમ બંગાળની એક મસ્જિદમાં નમાઝ પઢવા માટે ભેગા થયા હતા.
પ.બંગાળની આ મસ્જિદમાં લોકો નમાજ માટે ભેગા થયા
પોલીસે ટોળુ વિખેર્યુ, અને ઈમામને ચિમકી આપી
આ મસ્જિદ ખાલી કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પશ્વિમ બંગાળના મુર્શિદાબાદના મહુલ જિલ્લાની ગોપીપુર મસ્જિદમાં જુમ્મા(શુક્રવાર)ની જે લોકો પહોંચ્યા હતા તેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક નહોતુ પહેર્યુ. મસ્જિદમાં નમાજ માટે ભેગા થયેલા લોકો એકબીજાથી અંતર નહોતા જાળવી રહ્યા. જોકે પોલીસે તેમને બહાર નિકળવા કહ્યું તો તે લોકોએ મસ્જિદ ખાલી કરી દીધી હતી.
એક અધિકારીને જ્યારે માહિતી મળી તે તરત મસ્જિદે પહોંચ્યા હતા અને તેમને મસ્જિદના ઈમામ તસ્લીમ રાજાને લોકડાઉનના પાલની સલાહ આપી હતી. તેમજ તેમને ચિમકી પણ આપી હતી કે ભવિષ્યમાં ફરી લોકડાઉનનો ભંગ કરશો તો સખત પગલા ભરીશું.
મુર્શિદાબાદની મસ્જિદને ખાલી કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરસ થઈ રહ્યો છે. સમયસર કામગીરી કરનાર પોલીસના લોકો વખાણ પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ. બંગાળમાં કોરોનાના 116 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજનમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા જમાતીઓને કારણે કોરોનાનું સંક્રમણ દેશમાં ઝડપથી વધ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે જૂની દિલ્હીના ચાંદની મહેલ વિસ્તારમાં છેલ્લા 72 કલાકમાં 3 લોકોની કોરોના સંક્રમણને લીધે મોત થયું છે. 13 અલગ અલગ ધાર્મિક જગ્યાઓ (મસ્જિદ)માં રહી રહેલા 102 લોકોમાંથી 52 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે સંક્રમણ રોકવા ચાંદની મહેલ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પોલીસ જવાનો અને સુરક્ષાદળો સતત પહેરો ભરી રહ્યા છે.
દિલ્હીમાં હોર્ટ સ્પોર્ટની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. શુક્રવારે વધુ 6 હોટ સ્પોર્ટ જાહેર કરી તેને સીલ કરાયા. જેમાં નબી કરીમ, જીટીબી એન્ક્લેવનો ઈ- પોકેટ, જાકિર નગરની 18થી વધીને 22 ગલીઓનો સમાવેશ થયો છે. તેમજ અબૂ બકર મસ્જિદનો સટા વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી.