NCPના ચાર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવોએ હવે નવો વળાંક લીધો
રાજ્યપાલે આખરે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ગઈકાલે માત્ર ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. ત્યારે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પૂર્ણ થશે.બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.
Maharashtra Governor asks CM Uddhav Thackeray to prove majority tomorrow; Shiv Sena questions move
શિવસેના ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને ફ્લોર ટેસ્ટની વાત કરી છે. પરંતુ આ નિર્દેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.ઉદ્ધવ જૂથ માંગ કરશે કે ફ્લોર ટેસ્ટ પહેલા 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા સમાપ્ત કરવાનો મામલો પતાવવો જોઈએ. આ અંગેની આગામી સુનાવણી 12 જુલાઈએ થવાની છે.
Ahead of the floor test tomorrow, Maharashtra Ministers and NCP leaders Dilip Walse Patil and Jayant Patil, arrive at the residence of party chief Sharad Pawar in Mumbai#MaharashtraPolitcalCrisispic.twitter.com/lc3zxJKMNN
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની નોટિસ બાદ મહારાષ્ટ્રમાં હલચલ વધી ગઈ છે. મહાવિકાસ આઘાડી સરકાર પર તોળાઈ રહેલા ખતરા વચ્ચે NCP નેતાઓ આજે સવારે 10 વાગ્યે શરદ પવારને મળશે.
NCPના ચાર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મહાવિકાસ આઘાડી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. NCPના ચાર ધારાસભ્યો છે જે આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં. જેમાં અજિત પવાર, છગન ભુજબળ કોવિડ સંક્રમિત છે. નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં બંધ છે. આ ચાર લોકો આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં હાજર રહી શકશે નહીં.