બિહારનાં 11 જિલ્લાઓમાં વરસાદનાં કારણે તબાહી જેવી પરિસ્થિતિ છે જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવામાં પૂરના કારણે ત્રાહિમામ જેવી પરિસ્થિતિ છે.
દેશભરમાં વરસાદનાં કારણે તારાજી
મહારાષ્ટ્રમાં મહાપ્રલય જેવી સ્થિતિ
બિહારમાં 11 લાખ લોકોનું કરાયું સ્થળાંતર
વરસાદનાં કારણે ભારતનાં અનેક રાજ્યોમાં ભારે તારાજીની પરિસ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને બિહારમાં પૂરના કારણે ત્રાહિમામ જેવી પરિસ્થિતિ છે, મહારાષ્ટ્ર અને ગોવામાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એરફોર્સ અને નેવીએ હવે મોરચો સંભાળી લીધો છે. મહારાષ્ટ્રમાં 48 કલાકમાં વરસાદનાં કારણે થયેલ તબાહીમાં 129 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
બિહાર :
બિહારનાં 11 જિલ્લાઓમાં વરસાદનાં કારણે તબાહી જેવી પરિસ્થિતિ છે. રાજ્યમાં 15 લાખ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે જ્યારે 11 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે.
મહારાષ્ટ્રમાં મહાપ્રલય
મહારાષ્ટ્રમાં વરસાદનાં કારણે જળપ્રલય થઈ રહ્યો છે જ્યાં જુદી જુદી ઘટનાઓમાં 129 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સતત વરસાદનાં કારણે પરિસ્થિતિ ભયંકર થઈ છે. આર્મી અને નેવીની ટીમો પણ હવે NDRF SDRFની સાથે રેસ્ક્યૂમાં ઉતરી ગઈ છે. આ સિવાય એરફોર્સનાં હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં લાગી ગયા છે.
કર્ણાટક :
કર્ણાટકમાં પણ ગંગાવલ્લી અને કાલી નદી તોફાની વાણી છે. ઉત્તર કન્નડ જિલ્લામાં પૂર્વ આવ્યું છે અને હેલિકોપ્ટર દ્વારા લોકોનાં રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.
ગોવામાં પણ પરિસ્થિતિ ગંભીર
ગોવામાં પણ વરસાદનાં કારણે પરિસ્થિતિ બગડી રહી છે. ગોવાના CM સાથે પ્રધાનમંત્રી મોદીએ ફોન પર વાતચીત કરીને માહિતી મેળવી છે. હજારો લોકો વરસાદનાં કારણે બેઘર થઈ ગયા છે.