ઈન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી બાદ હવે પૂરે વિનાશ નોતર્યુ છે. ઈન્ડોનેશિયામાં સુમાત્રા દ્વીપ પર મૂશળધાર વરસાદના પગલે આવેલા પૂર અને ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા છે .
22 લોકોનાં મોત જ્યારે 15 લોકો લાપતા બન્યા છે. તો ઈન્ડોનેશિયામાં સુનામી દરમિયાન મૃત્યુઆંક બે હજારને પહોંચ્યો છે. 29 જેટલા મકાનો પૂરની લપેટમાં આવ્યા છે.
આ ઉપરાંત 100 જેટલી ઈમારતોમાં હાલ પણ પાણી ભરાયેલુ છે. બીજી તરફ બચાવ દળ દ્વારા રેસ્કયૂ ઓપરેશન પણ હાથ ધરાયુ છે. મૃતકોમાં મોટાભાગે બાળકનો સમાવેશ છે.