વલસાડમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી, ઔરંગા નદીમાં બીજી વાર પૂર આવતા લોકોનું સ્થળાંતર કરાયું
મેઘરાજાએ વલસાડને ફરી ઘમરોળ્યું, ઔરંગા નદીમાં બીજી વાર પૂર
વરસાદને કારણે નેશનલ હાઇવે કરાયો બંધ, નેશનલ હાઇવે 48 પર ભરાયાપાણી
લીલાપુર ગામના લોકોનું સ્થળાંતર, જરૂરી હોય તો જ મુસાફરી કરવા માટે કરાયું સૂચન
વલસાડમાં સતત થઈ રહેલી મેઘમહેર જાણે કે કહેર બનીને વરસી રહી હોય તે પ્રકારની પરીસ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઈ હવે લીલાપુર ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. લોકોના ઘરમાં 5થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. પોલીસનો કાફલો પણ લીલાપુર ગામ ખાતે પહોંચ્યો છે. આ સાથે વરસાદને કારણે નેશનલ હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. નેશનલ હાઇવે 48 પર પાણી ભરાવાને કારણે હાઇવે તાત્કાલિક અસરથી બંધ કરાયો છે.
ગામેગામ ડૂબમાં જતાં લોકોનું સ્થળાંતર
વલસાડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ભારે વરસાદને કારણે ઔરંગા નદીના કિનારાના ગામ લીલાપુર ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. પૂરના પણઇ લોકોના ઘરમાં 5થી 7 ફૂટ સુધી ભરાઈ ગયા છે. આ સાથે ગામ લોકોને પુરના પાણીમાં ન જવા માટે સૂચના આપવામાં આવી. જેમાં ગામમાં રીક્ષા ફેરવીને લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
વરસાદને કારણે નેશનલ હાઇવે કરાયો બંધ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સતત મુશ્કેલી વધી રહી છે. આ તરફ હવે વરસાદને કારણે નેશનલ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. નેશનલ હાઇવ 48 પર વરસાદી પાણી ભાઈ જતાં હાઇવે તાત્કાલિક અસરથી બંધ કરાયો છે. ચીખલી વલસાડ વચ્ચે હાઇવે બંધ કરાયો હોવાથી જરૂરી હોય તો જ મુસાફરી કરવા માટે સૂચન કરાયું છે.
મધુબન ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક
વલસાડ જિલ્લાના કપરાડા અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેને કારણે જિલ્લાના મધુબન ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેથી જિલ્લા વહીવટી તંત્રએ તબક્કાવાર દમણગંગામાં 2 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે. જેને કારણે નીચાણવાળા સેલવાસ, દાદરાનગર હવેલી અને વાપીના 22 ગામને એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ સ્થાનિકોને નદીના પટ પર ન જવા સૂચના આપી છે.
વલસાડમાં ઔરંગા નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હતા. કશ્મીરાનગર,તળિયાવાડ,દાણા બજારમાં ઔરંગાના પાણી ભરાયા છે. શહેરમાં પાણીના લેવલમાં સતત વધારો થતા શહેરીજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે વલસાડ શહેરમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરમાં પાણી ભરાવાની સ્થિતિને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોની સ્થિતિ બગડતાંની સાથે રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી વલસાડની મુલાકાતે પહોંચ્યા હતાં. વલસાડ જિલ્લાની સ્થિતિ વિશે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓને જરૂરી સૂચના આપી છે.