મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં પૂર આવતા થયેલ ભયંકર નુકશાનને લઈ તેમણે કહ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં આવી સ્થિતિ નથી જોઈ. ગ્વાલિયર અને ચંબલના વિસ્તાર વધુ વરસાદને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.
બે વ્યક્તિના મોત થયા, સાત લોકો ઘાયલ થયા
NDRF, SDRF અને વાયુસેનાની ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ
પૂરના પાણીએ કહેર મચાવી દીધો
બે વ્યક્તિના મોત થયા, સાત લોકો ઘાયલ થયા
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં પૂર આવતા થયેલ ભયંકર નુકશાનને લઈ તેમણે કહ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં આવી સ્થિતિ નથી જોઈ. ગ્વાલિયર અને ચંબલના વિસ્તાર વધુ વરસાદને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. સાથે જ રાજ્યના મુખ્યમાર્ગો અને પુલને પણ નુકશાન થયું છે. રાજય સરકાર અનુસાર વરસાદને કારણે શિવપુરી અને શ્યોપુર જિલ્લામાં એક એક વ્યક્તિનું મોત થયું છે. સાથે જ સાત લોકો ઘાયલ થયા છે. જેમાં ગુનામાં ચાર, શિવપૂરીમાં બે અને મૂરેનામાં એક વ્યક્તિ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે જિલ્લા કલેકટરની પુષ્ટિ કર્યા બાદ મોતના આંકડા સામે આવશે.
#WATCH | Madhya Pradesh: An Advanced Light Helicopter (Dhruv) of the Indian Air Force undertook a rescue operation yesterday at Korwa near Chitahari in Shivpuri district to save 4 persons who were stranded on the roof of a house due to floods pic.twitter.com/6qvCisF8Cv
પૂરના પાણીએ કહેર મચાવી દીધો
મુખ્યમંત્રી ચૌહાણે જણાવ્યું કે ગ્વાલિયર અને ચંબલના વિસ્તારમાં એક પુલ પણ તૂટી ગયો હતો. જેના કારણે ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા છે. મધ્યપ્રદેશનું શિવપુરીમાં પૂરથી પાણી પાણી છે, શિવપુરીના કોલારસમાં ભારે વરસાદ પછી રસ્તાઓ નદી અને દરિયા જેવા બની ગયા. અંદાજ લગાવવો મુશ્કેલ છે કે ક્યાં ખાડો છે અને ક્યાં રસ્તો. પાણીના તેજપ્રવાહની વચ્ચે જીવ જોખમમાં નાખીને લોકો કોલોનીથી બહાર નીકળી રહ્યા છે, પૂરના પાણીએ કહેર મચાવી દીધો છે.
🇮🇳 Madhya Pradesh, India
The fort was completely submerged by the flood. It seems as if no fort has ever been built here.
NDRF, SDRF અને વાયુસેનાની ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ
પુરની પરિસ્થિતીનો સામનો કરવા માટે NDRF, SDRF અને વાયુસેનાની ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. શિવપુરીની ઉપર સતત વાયુસેનાના હેલિકોપ્ટર ચક્કર લગાવી રહ્યા છે. સતત વરસાદને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ અડચણ આવી રહી છે. શિવપુરીના પોહરી તાલુકામાં પાર્વતી નદીમાં આવેલાં પુરને કારણે ગ્રામજનો ટાપુ પર ફસાઈ ગયા હતાં. રેસ્ક્યૂ ઓપરેશનમાં 2 હજારથી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં.