વરસાદ અને પૂરથી કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ ખૂબ જ વધારે પ્રભાવિત થયા છે. આ સ્થિતિમાં મૃતકોની સંખ્યા 168 સુધી પહોંચી છે.
વરસાદ અને પૂરથી કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ ખૂબ જ વધારે પ્રભાવિત થયા છે. આ સ્થિતિમાં મૃતકોની સંખ્યા 168 સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં લગભગ 4 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. સાથે કેરળમાં 2.51 લાખ લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. સાથે જ પ્રભાવિત કેરળમાં હાલ સુધીમાં 72 લોકોના મૃત્યુ થયા છે. અને સાથે સેના, નેવી અને એનડીઆરએફની ટીમો બચાવ કામમાં લાગી છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રવિવારે સવારે વરિષ્ઠ અધિકારીઓની સાથે બેસીને બચાવ અને રાહત કાર્યની માહિતી લઈને નિર્દેશ આપ્યા હતા. તેઓએ જનતાને ખાસ કરીને ભૂસ્ખલનને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે. થોડા સમય અગાઉ બે પહાડોની વચ્ચે ભૂસ્ખલન થવાના કારણે મોટા પહાડ ઘરો પર પડ્યા અને સાથે તેમાંથી 11 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હવામાન વિજ્ઞાન વિભાગે રાજ્ય કન્નૂર, કાસરગોડ અને વાયનાડ માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ વાયનાડની મુલાકાતે પહોંચ્યા હતા.
સાથે જ ગુજરાતના કેટલાક ભાગમાં સતત થયેલા વરસાદને કારણે હાલ સુધી 31 લોકોના મૃત્યુ થયા છે. શનિવાર અને રવિવાર સુધી એકલા સૌરાષ્ટ્રમાં 12 લોકોના મૃત્યુ થયા છે. અરબ સાગરમાં 20 માછીમારો હાલ સુધી મળ્યા નથી. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો સૌથી વધારે પ્રભાવિત છે. તમિલનાડુ સરકારે પૂરમાં થયેલા નુકસાનને લઈને કેન્દ્ર સરકાર પાસે રાહત માંગી છે. રાજ્યના પશુપાલનમંત્રી ઉદુમલાઈના રાધાકૃષ્ણને કહ્યું છે કે વરસાદ અને પૂરને કારણે ખેતીના પાક અને પશુધનને પણ મોટું નુકસાન થયું છે.