દેશમાં વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. તો બીજી બાજુ નેપાળમાં થયેલા ભારે વરસાદના કારણે હિમાલયથી નિકળતી ઉત્તર પૂર્વ ભારતની તમામ પ્રમુખ નદીઓ પૂરના પાણીથી ઊભરાઇ રહી છે. અત્યાર સુધી બિહારમાં આશરે 18 લીખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
અસમમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સામે આવી છે. પૂરના પગલે મૃતકોની સંખ્યા 11 એ પહોંચી છે. 28 જિલ્લાના 26.5 લાખ લોકોને આ પૂરની અસર થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જોરહાટ, બારપેટા તથા ધુબરીમાં ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે 28 અસરગ્રસ્ત જિલ્લામાંથી બારપેટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે. મોરીગાંવમાં સાડા ત્રણ લાખ, ધુબરી જિલ્લામાં 3.38 લાખ લોકોને અસર થઈ છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ, અસમમમાં હજુ પણ વધુ વરસાદની આગાહી છે.
કોસી બેરોજના તમામ 56 ગેટો શનિવારે રાચે ખોલી દીધા બાદ બિહારમાં પૂરની સ્થિતિ રવિવારે વધારે ભયાનક થઇ ગઇ હતી. પાણી ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. બીજી બાજુ નેપા4ળમાં સતત વરસાદ ચાલુ છે. પ્રભાવિત વિસ્તારોમાં મોબાઇલ અને વીજળી સેવાઓને અસર થઇ છે.
Bihar: Water level of Kamala River rises following heavy rainfall in the area; several villages in Darbhanga flooded. (14.07.2019) pic.twitter.com/y0LElIGVX1
બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધી શકે છે. જેથી નદીની આસપાસના વિસ્તારનો લોકોને પણ અલર્ટ કરી દેવાયા છે અને સ્થળાંતર કરવા સૂચના આપી દેવાઈ છે. મહત્વનું છે કે, બ્રહ્મપુત્રા નદી ગુવાહાટી, નિમાતીઘાટ, સોનીપુર, ગોઅલ્પરાલ અને ધુબરીમાં ભયજનક સપાટીએ વહી રહી છે.