પોરબંદર ઘેડ,રાજકોટ અને જૂનાગઢમાં વરસાદે સર્જી ખના-ખરાબી. ખેતરોમાં ઘુસ્યા પાણી. ઉભો પાક ધોવાઈ જતા ખેડૂતો ચિંતિત.સરકાર પાસે કરી વળતરની માંગણી
પોરબંદર,જૂનાગઢ રાજકોટ જળમગ્ન
ઘેડ પંથકની 35 હજાર હેક્ટર જમીન ધોવાઈ
જુવાર,મકાઈ,મગફળી,એરંડો ધોવાયા
સૌરાષ્ટ્રમાં પ્રલયકારી વરસાદે ગામ,તળ,જમીન અને સડક ઉપરાંત ખેતરોને પાણી-પાણી કરી નાખ્યા.પરિણામે નાગરિકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.ખેતરોના ખેતરો ધોવાઈ ગયા.વાહન વ્યવહારના જૂના પૂલ પણ ધોવાઈ ગયા અને પાણી ઉતરતા હજુ કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે.પોરબંદર,રાજકોટ,અને જૂનાગઢમાં સ્થિતિ વધુ વિકટ બની છે.
ઘેડ પંથકમાં તારાજી
પોરબંધારના ઘેડ પંથકમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે.લગભગ 35 હજાર હેક્ટર જમીનમાં પાણી નદીની જેમ ફરી વળ્યા છે.એક તો સમયસર વરસાદ નહિ,તેમાં પણ તૌક્તે વાવાઝોડાએ વિનાશ વેર્યો અને અધૂરામાં પૂરું પાછોતરા વરસાદે સાંબેલા ધાર 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખાસ કરીને ખેડૂતોએ પાયમાલી વેઠવા વારો આવ્યો છે. આવી જ સ્થિતિ ઘેડ પંથકનું ટુકડા ગોસા ગામની થઇ છે.
વળતર ચૂકવો સરકાર -માંગણી
પોરબંદર પંથકમાં ભારે વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ જવા પામ્યા છે.સંભવત એકાદ સપ્તાહ સુધી પાણી ના ઉતારે તેવી શક્યતા છે આ વચ્ચે જુવાર,મકાઈ,મગફળી,એરંડાના પાકને ભારે નુકસાન પહોચ્યું છે.ખેડૂતોએ સરકાર પાસે આ નુકસાનીના વળતરનો દાવો કર્યો છે
રાજકોટનું કોલીથડ
સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટના કોલીથડમાં ભારે પાણી ફરી વળતા ગામમાં પ્રવેશ માટેનો મુખ્ય પૂલ જ ધોવાઈ ગયો છે.મુખ્યપુલ તૂટતા અનેક ગામવચ્ચેનો વાહનવ્યવહાર ઠપ થી જવા પામ્યો છે.ગ્રામવાસીઓ અહીંથી બહાર નીકળવા કે અનદાર આવવા જીવના જોખમે નદી પાર કરીને અવર-જવર કરી રહ્યા છે.
જૂનાગઢની પણ આ જ સ્થિતિ
જૂનાગઢના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણેઅહીની મધુવંતી નદીમાં નવા પાણીની આવક થઇ છે.પરંતુ નદીના નવા નીરના કારણે માધવપૂર,ચિગરીયાનાં ગામો પાણીમાં ગરકાવ થયા છે.માંધુવાન્તીના પાણી ગામ અને ખેતરોમાં પણ ઘૂસી જતા મગફળી અને જુવાર જેવી પેદાશોને ભારે નુકસાન થયું છે