પશ્ચિમ બંગાળમાં પૂર અને વધુ પડતાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. દામોદર ઘાટી નિગમ DVC બંધ પરથી પાણી છોડતા 6 જિલ્લાના ઘરોમાં અને રસ્તામાં પાણી ભરાઈ જતાં 3 લાખ લોકોને અસર થઈ છે.
પશ્ચિમ બંગાળમાં પૂરના કારણ 16 લોકોના મોત
PM મોદીએ આજે સવારે CM મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી
6 જિલ્લાના લગભગ 3 લાખથી વધુ લોકોને અસર થઈ
પશ્ચિમ બંગાળમાં પૂરના કારણ 16 લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં પૂર અને વધુ પડતાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. દામોદર ઘાટી નિગમ DVC બંધ પરથી પાણી છોડતા 6 જિલ્લાના ઘરોમાં અને રસ્તામાં પાણી ભરાઈ જતાં 3 લાખ લોકોને અસર થઈ છે. પૂરની આ સ્થિતિની જાણકારી મળતા જ PM નરેન્દ્ર મોદીએ આજે સવારે CM મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી અને દરેક જરૂરિયાત માટે સંભવ મદદ માટેનું આશ્વાસન આપ્યું હતું. મમતા બેનર્જીએ DVC બંધ પરથી પાણી છોડવાની ઘટનાને લઈ PM મોદીને ફરિયાદ પણ કરી હતી.
PM મોદીએ આજે સવારે CM મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી
રાજ્યમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી, આ સ્થિતિનિસ સમીક્ષા કરવા માટે ખુદ CM મમતા બેનર્જી ત્યાંનાં પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરવા જઈ રહ્યા છે. બુધવારે તેઓમ હુગ્લીમાં જ રહેશે. તેઓ પહેલા હેલિકોપ્ટરથી આ નિરીક્ષણન કરવાના હતા, પણ હવામાન ખરાબ હોવાના કારણે તેઓ રોડ દ્વારા જ નિરીક્ષણ કરશે. સૂત્રોના કહ્યા મુજબ પ્રધાનમંત્રી સાથે પણ બુધવારે સવારે મમતા બેનર્જીએ વાત કરી હતી, પહેલા તો કોઈ કારણોથી મુખ્યમંત્રી સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. પણ પછી CM મમતાએ PM મોદીને પણ ફોન કર્યો હતો.
6 જિલ્લાના લગભગ 3 લાખથી વધુ લોકોને અસર થઈ
આ પછી તેમણે થોડાક સમય રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ વિશે પણ વાત કરી. DVCમાંથી પાણી છોડવાને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારો જલમગ્ન થઈ ગયા છે. મમતા બેનર્જીએ DVC બંધ પરથી પાણી છોડવાની ઘટનાને લઈ PM મોદીને ફરિયાદ પણ કરી હતી. બીજી બાજુ PM મોદીએ એ પણ જાણવાની કોશિશ કરી કે રાજ્યમાં પૂરની સ્થિતિ કેવી છે. તેમણે દરેક જરૂરિયાત માટે સંભવ મદદ માટેનું આશ્વાસન આપ્યું હતું.