હાલમાં આવેલા ફેરફાર મુજબ રાજકોટથી દિલ્લીની ફલાઇટના સમયમાં ફેરફાર થયો છે.
સૌરાષ્ટ્રભરમાંથી પણ લોકો દેશના અલગ અલગ પ્રાંતોમાં જાય છે. બિઝનેસ, એજયુકેશન કે પછી વેકેશનમાં પ્રવાસો માટે લોકો મોટી સંખ્યામાં હવે હવાઇ સફર કરે છે. જો તમે રાજકોટથી વારંવાર ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો હવે તમારે આ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. હાલમાં આવેલા ફેરફાર મુજબ રાજકોટથી દિલ્લીની ફલાઇટના સમયમાં ફેરફાર થયો છે. હવે રાજકોટથી દિલ્લીની ફલાઈ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ઉપડશે. મુંબઈની ફલાઇટ એક અઠવાડિયા સુધી દરરોજ ઉડાવ્યા બાદ ફરી કાપ મુકાયો છે. હવે રાજકોટ-મુંબઈની ફલાઇટ પણ 3 જ દિવસ અવર જવર કરશે. રાજકોટથી મુંબઈ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉડશે. રાજકોટથી દિલ્હી સોમવાર, ગુરુવાર અને શનિવારે ઉડશે.